Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં તમિલ ભાષાની એકમાત્ર સ્કૂલ બંધ કરતાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખતરામાં, વાલીઓએ ઇચ્છામૃત્યુંની કરી માંગ

Webdunia
સોમવાર, 21 સપ્ટેમ્બર 2020 (10:26 IST)
tamil school of gujarat
કોરોના મહામારીના કારણે ગુજરાતમાં તમામ શિક્ષણ સંસ્થાઓ હાલ બંધ છે. જેમાં ગુજરાતની એકમાત્ર તમિલ પાઠશળા પણ સામેલ છે. જોકે રાજ્ય સરકારે અચાનક અમદાવાદમાં આવેલી એકમાત્ર તમિલ પાઠશાળા કાયમી માટે બંધ કરવાનો નિર્ણય કરતાં વિદ્યાર્થી અને તેમના વાલીઓની ચિંતા વધી ગઇ છે. વાલીઓએ તમિલ સ્કૂલ બંધ કરતાં અમદાવાદ જિલ્લા કલેક્ટર પાસે ઇચ્છામૃત્યુંની માંગ કરી છે. 
 
મહામારી વચ્ચે વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જોકે અમદાવાદમાં સ્થિત ગુજરાતની એકમાત્ર તમિલ સ્કૂલ વચ્ચે સત્રમાં અચાનક શહેર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જેના લીધે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. 
 
વાલીઓનું કહેવું છે કે રાજ્ય સરકાર તમિલ ભાષા વિરૂદ્ધ હોવાનો આ નિર્ણય સાબિત થઇ રહ્યો છે. અડધા સત્રમાં તમિલ સ્કૂલ બંધ કરવાના નિર્ણયથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય થઇ ગયું છે. અનેકવાર આ અંગે શિક્ષણ અધિકારીઓને ફરિયાદ કર્યા બાદ પ્ણ તમિલ સ્કૂલ ફરીથી શરૂ કરવાનો નિર્ણય થયો નથી. 
 
અમદાવાદના પૂર્વ કોર્પોરેટર જોર્જ ડાયસએ જણાવ્યું કે તમિલ સ્કૂલ બંધ થતાં વિધાર્થીઓનું ભવિષ્ય ખતરામાં છે. વાલીઓમાં પોતાના બાળકોને લઇને ચિંતા પ્રસરી ગઇ છે. એવું લાગી રહ્યું છે કે સરકાર તમિલ ભાષાના વિરોધમાં છે. રાજ્ય સરકાર સંવિધાનના મૂળભૂત અધિકારોનું હનન કરી રહી છે. જેના કારણે વાલીઓએ શુક્રવારે જિલ્લા કલેક્ટરની ઓફિસ બહાર પહોંચીને પ્રદર્શન કરી વાલીઓએ કલેક્ટર પાસે ઇચ્છા મૃત્યુંની માંગ કરી છે.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments