Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજના નિધન બાદ ગુજરાતમાં રૂપાણી સરકારની ઉજવણીના તમામ કાર્યક્રમ રદ

Webdunia
બુધવાર, 7 ઑગસ્ટ 2019 (12:39 IST)
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારના સફળ ત્રણ વર્ષની ઉજવણી કરવા ભવ્યાતિભવ્ય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પરંતુ પુર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના નિધનના પગલે ઉજવણીના તમામ કાર્યક્રમો રદ કરવાની જાહેરાત સરકારે મોડીરાત્રે કરી હતી.
પુર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના નિધનના કારણે ગુજરાત રાજય સરકારે રૂપાણી સરકારના ત્રણ વર્ષની સફળ કામગીરી સંદર્ભે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. મહાત્મા મંદિરે સંકલ્પ સે સિદ્ધિ કી ઓર ઉપરાંત મુખ્યમંત્રી નિવાસસ્થાને મતની મોકળાશ કાર્યક્રમની ઉજવણી રદ કરવામાં આવી છે.
દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારે ત્રણ વર્ષની સફળ કામગીરીની ઉજવણીના તમામ કાર્યક્રમો મોડીરાત્રે રદ દીધાની તમામ સરકારી ખાતાને જાણ કરી હતી. જીલ્લા મથકોએ પણ આવી ઉજવણીના કેટલાક કાર્યક્રમો યોજાવાના હતા તે પણ રદ કરી દેવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આગળનો લેખ
Show comments