Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતથી અમદાવાદ આવતા લોકોનું રેપિડ ટેસ્ટિંગ, 9 લોકો કોરોના પોઝિટિવ મળ્યા

Webdunia
શુક્રવાર, 10 જુલાઈ 2020 (15:42 IST)
રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસો હવે સુરત શહેરમાં નોંધાઇ રહ્યા છે. સુરતમાં કોરોનાના કેસો વધતાં લોકો ફરી વતનમાં, સૌરાષ્ટ્ર અને અમદાવાદ પરત ફરી રહ્યાં છે. જેથી સુરતથી અમદાવાદ આવતાં લોકોનું રેપિડ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય ટીમો હાલ સ્થાનિક પોલીસની ટીમ સાથે એક્સપ્રેસ વે પર આવેલા ટોલ ટેક્સ પર તહેનાત છે. અમદાવાદમાં પ્રવેશતા તમામ લોકોની પૂછપરછ કરવામાં આવે છે અને જે કોઈપણ વ્યક્તિ સુરતથી અમદાવાદ આવી હોય તે તમામ લોકોનું ચેકિંગ કરી રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. સવારથી બપોરે 12 વાગ્યા સુધીમાં 92 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં 9 લોકો પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં કે હોમ આઇસોલેશનમાં મોકલવામાં આવ્યા છે. પૂર્વ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર અશ્વિન ખરાડીએ તેઓએ જણાવ્યું હતું કે ત્રણ ટીમ ઉતારવામાં આવી છે. જ્યારે સવારથી બપોરે 12 વાગ્યા સુધી કેટલા ટેસ્ટ કરાયા અને કેટલા પોઝિટિવ આવ્યા તે અંગે પૂછતા તેઓએ ફોન કાપી નાખ્યો હતો. ફરીથી ફોન કરવામાં આવતા તેઓએ ઉપાડ્યો ન હતો. જેથી સ્પષ્ટ જણાય છે કે આરોગ્ય વિભાગ અમદાવાદમાં સામે આવી રહેલા કેસોનો આંકડા છુપાવવા માગે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - વીમા કંપની

ગુજરાતી જોક્સ - પત્ની કૂવામાં

ગુજરાતી જોક્સ - કેળાની છાલ

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

વધુ જુઓ..

નવીનતમ

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

આગળનો લેખ
Show comments