Webdunia - Bharat's app for daily news and videos

Install App

બીજલ જોશી સામુહિક દુષ્કર્મ મામલો : આરોપીઓને મુક્ત કરવા સુપ્રિમનો આદેશ

Webdunia
ગુરુવાર, 13 ડિસેમ્બર 2018 (12:30 IST)
આખા રાજ્યમાં ચકચાર મચાવનારા 2003માં અમદાવાદમાં થયેલા બીજલ જોશી દુષ્કર્મ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો ફેંસલો સંભળાવ્યો છે. છેલ્લા 15 વર્ષથી અમદાવાદની સાબરમતી જેલમાં સજા કાપી રહેલા દિલ્હીના આરોપી સજલ જૈન સહીત પાંચને સુપ્રીમ કોર્ટે છોડી મુકવાનો આદેશ કર્યો છે. 31 ડિસેમ્બર 2003ની રાત્રે બીજલ જોશી પર પાંચ શખ્સો દ્વારા સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સામુહિક બળાત્કારની ઘટના બાદ બીજલ જોશીએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું હતું.
આ મામલે પોલીસે સજલ જૈન સહીત પાંચ આરોપીઓને બળાત્કાર અને આત્મહત્યાની દુષ્પ્રેરણાની કલમો લગાવી અમદવાદ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. પરંતુ સાક્ષીઓના નિવેદન અને પુરાવાના અભાવે કોર્ટે તમામ આરોપીઓને આપઘાતની દુષ્પ્રેરણાના કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. તેમજ બળાત્કારના કેસમાં આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. જોકે, સજલ જૈને ગુજરાત હાઇકોર્ટમાં સજા ઘટાડવાની માંગણી કરી હતી, જેને હાઇકોર્ટે ફગાવી દીધી હતી. જેથી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે સુનાવણી બાદ આરોપીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments