Webdunia - Bharat's app for daily news and videos

Install App

કચ્છમાં માંડવીના પિયાવા સ્વામિનારાયણ હોસ્ટેલમાં પરીક્ષા બાદ ધોરણ 11ની છાત્રાનો આપઘાત

Webdunia
શનિવાર, 23 એપ્રિલ 2022 (15:19 IST)
માંડવી તાલુકાના પિયાવા વાડી વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ કન્યા વિદ્યા મંદિરમાં 11માં ધોરણમાં અભ્યાસ કરતી ગાંધીધામના શિણાય ગામની અને મા-બાપ વિહોણી 17 વર્ષીય છાત્રાએ સાયકોલોજીની પરિક્ષા આપ્યા બાદ ગુરૂવારે બપોરે હોસ્ટેલના રૂમમાં પંખા પર દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લેતાં છાત્રાલયમાં કન્યાઓ ધ્રૃસકે ધ્રૃસકે રડી પડવાના આક્રંદથી દરેકના દિલને આંખોના આંસુએ હચમચાવી દીધા હતા.

મૂળ શિણાયની મુકતાબેન ધીરજભાઈ હડીયા (ઉ.વ.17) છેલ્લા પાંચ વર્ષથી અભ્યાસ અર્થે માંડવીના પિયાવા વાડી વિસ્તાર સ્થિત સ્વામીનારાયણ કન્યા હોસ્ટેલમાં રહી અને ત્યાં જ શાળામાં ભણતી હતી. હતભાગી છાત્રાના માતા-પિતા નહીં હોવાથી અભ્યાસનો ખર્ચ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા ઉપાડવામાં આવતો હતો. તે છાત્રા ગુરૂવારના સવારે પોતાની પરિક્ષા આપીને હોસ્ટેલના પોતાના રૂમ 208માં આવીને અંદરથી દરવાજો બંધ કરીને પંખા પર દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. રૂમ પાર્ટનર આવતાં રૂમનો દરવાજો ન ખુલતાં શાળા અને કન્યા છાત્રાલયના કર્મચારીઓએ રૂમનો દરવાજો તોડીને પ્રવેશ કરતાં મુક્તાબેન પંખામાં લટકતાં જોવા મળ્યા હતા.મૃતકની અંતિમ વિધિ માટે તેમના પરિવારમાં મોટા બાપાને લાશ સોંપાઇ હતી.

થોડા દિવસ પહેલા આફ્રિકાથી આવેલા દાતાએ હતભાગી છાત્રાનો 12 ધોરણનો અભ્યાસ પૂર્ણ થયા બાદ કોલેજો આવે ત્યારે સ્કુટી લઈ આપવાની અને તમામ અભ્યાસનો ખર્ચ આપવાની જાહેર કરી હતી.મૃતક મૂકતાબેન હોળીની રજાના પ્રસંગે પોતાના મોટા બાપાન ઘરે ગયા હતા. અભ્યાસમાં રૂચી ધરાવતા હતા. માત્ર પોતાના માતા-પિતા નહીં હોવાથી એકલપણું લાગતું હોવાનો અફસોસ વ્યક્ત કરતા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.અબડાસા તાલુકાના રામપર અબડા ગામે રહેતી 17 વર્ષીય ભાવનાબેન વેલજીભાઇ જુમાભાઇ કોલી નામની સગીર કન્યાએ કોઇ અગમ્ય કારણોસર સીમમાં શુક્રવારે સવારે દસ વાગ્યાના અરસામાં બાવળના ઝાડની ડાડી પર પછેડી બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે હતભાગીના પિતાને જાણ થતાં પરિવારજનોએ નલિયા સરકારી હોસ્પિટલમાં લઇ આવતાં હાજર પરના તબીબે મૃત જાહેર કરી હતી.નલિયા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ પીએસઆઇ વી.આર. ઉલવાએ હાથ ધરી છે.

માંડવી તાલુકાના દુજાપર ગામે રહેતા 36 વર્ષીય ખીમજીભાઇ દાનાભાઇ લોંચા નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર શુક્રવારે સવારે પોણા બાર વાગ્યાના પોતાના ઘરની છતની આડીમાં દુપટ્ટા વળે ફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ગઢશીશા પોલીસે બનાવની નોંધ લઇ આપઘાત પાછળના કારણો જાણવા તપાસ ચલાવી છે.મહાવીરનગરમાં રહેતા અને લેવા પટેલ હોસ્પિટલમાં નોકરી કરતા હેમલતાબેન દસરથભાઇ રાવલ (ઉ.વ.38) નામની પરિણીતાએ શુક્રવારે બપોરે પોતાના ઘરે પંખા પર ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. હતભાગી મહિલાના પતિ બહાર ગયા હતા. પુત્ર ઘરે આવ્યો ત્યારે સમગ્ર ઘટનાની જાણ થઇ હતી.

સંબંધિત સમાચાર

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments