Webdunia - Bharat's app for daily news and videos

Install App

ST નિગમનો નિર્ણય:જૂનાગઢના મેળામાં વિવિધ શહેરોમાંથી 285 બસો દોડાવાશે

Webdunia
શુક્રવાર, 1 માર્ચ 2024 (18:55 IST)
-જૂનાગઢના ભવનાથ ખાતે યોજાનારા શિવરાત્રિના મેળા
-285થી વધુ બસો જૂનાગઢના મેળા માટે દોડાવવામાં
-ઓનલાઈન બુકિંગ પણ

 
જૂનાગઢના ભવનાથ ખાતે યોજાનારા શિવરાત્રિના મેળાને લઈ ગુજરાત એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 285થી વધુ બસો જૂનાગઢના મેળા માટે દોડાવવામાં આવનાર છે. તો 75 જેટલી મીની બસો જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ તળેટી સુધી દોડાવવામાં આવશે.


આ ઉપરાંત અન્ય બસો અમરેલી, ભાવનગર, અમદાવાદ, રાજકોટ સહિત આસપાસના શહેરોમાંથી દોડાવવામાં આવશે. શિવરાત્રિના મેળામાં ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે એસટી બસના પ્રવાસીઓની સંખ્યા 40 ટકા વધી શકે છે.ગુજરાત એસટી નિગમના અધિકારી આર. જે. ગળચરે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જૂનાગઢના ભવનાથ ખાતે યોજાનારા શિવરાત્રિના મેળામાં એસટી નિગમ દ્વારા વધારાની બસો મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે.

એસટી નિગમ દ્વારા ચાલુ વર્ષે કુલ 285 જેટલી એસટી બસો મૂકવામાં આવશે. રાજકોટ અમરેલી, સુરત, ભાવનગર સહિત સૌરાષ્ટ્રના આસપાસના શહેરોમાંથી પણ વધુ બસો દોડાવવામાં આવનાર છે. અમદાવાદથી પણ જૂનાગઢ માટે બસો જશે. પ્રવાસીઓને તકલીફ ન પડે તેના માટે લોકો ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકશે.

Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - "હું મેકે જાઉં છું.

ગુજરાતી જોક્સ - આજે વેલેન્ટાઈન ડે છે

ગુજરાતી જોક્સ - હિપ્નોસિસ

ગુજરાતી જોક્સ - એક રૂપિયો આપો.

32 વર્ષના રૈપરની રહસ્યમયી પરિસ્થિતિમાં મોત, માતાના દાવાએ મચાવી હલચલ

વધુ જુઓ..

નવીનતમ

દાદીમાના નુસ્ખા - નાભિમાં સરસવનું તેલ લગાવવાથી શું થાય છે, જાણો આવું કરવાથી શું ફાયદો થાય ?

Happy Valentines Day Wishes in Gujarati - આ વેલેન્ટાઇન ડે પર આ ખાસ પ્રેમભર્યા મેસેજ, ફોટો કેપ્શન અને કોટસ દ્વારા કરો તમારા પ્રેમનો એકરાર

Valentine Special - હાર્ટ શેપ પિઝા રેસીપી

Moral Short Story- સંયમ

Glowing Skin - ચાંદ જેવી ચમક મેળવવા માટે અઠવાડિયામાં બે દિવસ આ કામ કરો

આગળનો લેખ
Show comments