Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફેસબુકમાં 14.74 કરોડ,ટવીટર પર 1.99 કરોડ શ્રધ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યાં

somnath temple
Webdunia
શુક્રવાર, 31 જાન્યુઆરી 2020 (11:50 IST)
શ્રી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન કેશુભાઈ પટેલ, ટ્રસ્ટી-સેક્રેટરી પ્રવીણભાઈ લહેરીના માર્ગદર્શન હેઠળ ભક્તો સોશ્યલ મીડિયા પ્રવાહ દ્વારા શ્રી સોમનાથ તીર્થધામ સાથે સંપર્કમાં આવે. તેમજ પ્રચાર અને પ્રસારને પ્રાધાન્ય મળે તેવા આશય સાથે વર્ષ-2015થી સોશ્યલ મીડિયામાં દર્શન-આરતી-ઉત્સવો-મહોત્સવો અપલોડ કરવાની શુભ શરુઆત કરવામાં આવેલ.

તબક્કાવાર આ કાર્યને દેશ-વિદેશમાં વસતા શિવભક્તોનો એક અનોખો સહયોગ પ્રાપ્ત થયો, આ સંખ્યામાં ઉતરોતર નોંધપાત્ર વધારો થતો જઇ રહ્યો છે. શ્રાવણમાં શરુ કરેલ સોશ્યલ મીડીયા દર્શન સેવા સો-હજાર-લાખ સુધી પહોંચ્યા બાદ હવે કરોડ થયેલી છે.

ફેસબુક પર વર્ષ 2018માં 9.98 કરોડનું જોડાણ હતું. જે 2019માં 14.74 કરોડ ભક્તોએ વર્ષ પર્યન્ત સોમનાથ મહાદેવના દર્શન-લાઈવ ઇવેન્ટ-આરતી-ઉત્સવ મહોત્સવ વગેરે નિહાળી સોશ્યલ મીડીયાથી સોમનાથ સાથે જોડાણ સ્થાપીત કરેલ છે.

આ દર્શકોમાં ભારત સહિત અમેરિકા, નેપાળ-આરબ-અમીરાત, ફિલિપાઈન્સ, કુવેત, સા. અરેબીયા, કેન્યા, ઓમાન, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, સા.આફ્રિકા, હોંગકોંગ, રશીયા, ચાઈના, ભુટાન, ફ્રાન્સ, જાપાન, ઇન્ડોનેશિયા સહિત 46 દેશોનો સમાવેશ થાય છે. આ પ્રમાણે વિશ્વસ્તરે ખુબ પ્રચલિત ટવીટર જેમના પર દેશ વિદેશના લોકો ખુબ જ આગવી છાપ ધરાવે છે. ટવીટર પર વર્ષ 2018માં 85 લાખ જેટલા ભક્તોનું જોડાણ હતું. જે વર્ષ 2019માં 1.99 કરોડ ભક્તોએ દર્શન-આરતી સહિતનો લાભ લીધો હતો. સાથે જ ઇન્સ્ટાગ્રામમાં વર્ષ-2019માં 1.34 કરોડ ભક્તોએ દર્શન-આરતીનો લાભ લીધેલ હતો.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Play School Admission Age - બાળકોને પ્લે સ્કૂલમાં મોકલવાની આ યોગ્ય ઉંમર છે, પહેલા તમારા બાળકને આ મૂળભૂત કૌશલ્યો શીખવો

Child Story- ઉંદર અને બિલાડી ની વાર્તા/ બિલાડીના ગળે ઘંટડી બાંધે કોણ

Sugarcane Juice- શેરડી વિના ઘરે જ શેરડીનો રસ કેવી રીતે બનાવવો

સાઉથ ઈંડિયન ખીચડી

ડૉક્ટર મુજબ જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે કેવું લાગે છે, દુખાવો ક્યાં થાય છે, હાર્ટ એટેકનો દુખાવો કેવી રીતે સમજવો?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ -દારૂડિયાનુ મોત

ડેબ્યુ ફિલ્મ ફ્લોપ થઈ તો 1 વર્ષ ઘરમાં કેદ રહ્યો સુપરસ્ટારનો પુત્ર, બોલ્યો - ચેક બાઉંસ થઈ ગયો, લાગ્યુ દુનિયા..

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

આગળનો લેખ
Show comments