Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાતમું પગાર પંચ અમલ નહીં તો અધ્યાપકોનું રાજ્યવ્યાપી આંદોલન

Webdunia
સોમવાર, 26 નવેમ્બર 2018 (12:19 IST)
સાતમા પગાર પંચ મુદ્દે રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ અને કોલેજના પ્રોફેસરોનું ગઇકાલે અમદાવાદમાં મહાસંમેલન હતું. આ મહાસંમેલનમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને તે પછી સરકાર સામે રણનીતિ પણ બનાવવામાં આવી હતી. આમાં જ ઠરાવ કરવામાં આવ્યો છે કે જો સરકાર 10મી સુધીમાં પગાર પંચનો અમલ નહીં કરે તો રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલમાં અધ્યાપકોનું મહાસંમેલન યોજાયુ હતું. જેમાં રાજ્યની વિવિધ સરકારી યુનિવર્સિટીઓના અને સંલગ્ન કોલેજના અધ્યાપકો, આચાર્યો મોટી સંખ્યામાં ભેગા થયા હતાં. 
આ મહાસંમેલનમાં અંદાજે 1200થી વધારે પ્રોફેસરો ભેગા થયા હતાં. ગુજરાત સરકારના નાણામંત્રી નીતિન પટેલે ગત વિધાનસભાની ચૂંટણી પહેલા જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકાર દ્વારા સેન્ટ્રલ યુનિ.ઓ માટે અમલ કરાવમા આવતા તરત જ રાજ્ય સરકાર પગારપંચનો અમલ કરી દેશે. આ જાહેરાતને એક વર્ષ થવા આવ્યુ છે છતાં સરકારે હજુ સુધી યોગ્ય પ્રક્રિયા હાથ નથી ધરી. જેના કારણે અધ્યાપકોમાં રોષ જોવા મળ્યો હતો.

સંબંધિત સમાચાર

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

આગળનો લેખ
Show comments