Webdunia - Bharat's app for daily news and videos

Install App

વર્ષો બાદ બ્રિટનમાં કચ્છના મીઠાની નિકાસ શરુ થઈ

britten
Webdunia
સોમવાર, 4 નવેમ્બર 2019 (11:44 IST)
ભારતમાં 1930માં જ્યારે અંગ્રેજ સરકારે ભારતના મીઠા પર કર નાખ્યો હતો ત્યારે રાષ્ટ્રપીતા મહાત્મા ગાંધીએ દ્વારા સાબરમતીથી દાંડી સુધીની પગપાળા યાત્રા કરીને આ કાળા કાયદાનો ભંગ કર્યો હતો. ઐતીહાસીક મહત્વ ધરાવતી આ યાત્રાનું કારક રહેલા મીઠાની ખેપ આઝાદી બાદથી બ્રીટનમાં બંધ થઈ હતી. જેની પાછળ આંતરાષ્ટ્રીય માનકો કારણભુત હતા. પરંતુ આટલા સમય બાદ કંડલાથી વધુ એક વાર મીઠાનું એક્સપોર્ટ બ્રીટનમાં થતા અંગ્રેજોએ દશકાઓ બાદ ભારત અને કચ્છનું મીઠુ ચાખ્યુ હતુ. એક્સપોર્ટર્સએ મીડિયાને જણાવ્યું હતુ કે અત્યાર સુધીના ઘણા પ્રયાસો કરાયા પરંતુ ઉચ્ચ માનકોના કારણે તે સંભવ બનતું નહતુ. હવે આપણે આંતરાષ્ટ્રીયકક્ષાની ગુણવતાને પાર કરતી ગુણવતાને જાળવતા આ શક્ય બન્યું છે. પ્રથમ નિકાસમાં 10 ટન જેટલો જથ્થો પહોંચી ચુક્યો છે અને આગળ પણ નિકાસ થતી રહેશે. જેના કારણે દેશના વિદેશી હુંડીયામણમાં પણ વ્રુદ્ધી શક્ય બનશે. અહિ નોંધવુ રહ્યુ કે માત્ર કચ્છમાંથી સમગ્ર દેશની ખપતમાં લેવાતુ 70%થી વધુ મીઠુ ઉત્પાદન કરાય છે. તેમજ આફ્રિકા, મલેશીયા, ગલ્ફ દેશો સહિતના સ્થળોએ તેની મોટા પાયે નિકાસ પણ થાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Sugar Vs Jaggery: સ્વાસ્થ્ય માટે શુ સારુ છે ખાંડ કે ગોળ ? જાણો તેના ફાયદા

શું રાણા સાંગાએ પત્ર લખીને બાબરને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું?

બર્મી પોટેટો કરી રેસીપી

ચિકન લોલીપોપ chicken lollipop recipe

બોધ વાર્તા- નોટબુકનો પુનઃઉપયોગ:

વધુ જુઓ..

નવીનતમ

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

આગળનો લેખ
Show comments