Webdunia - Bharat's app for daily news and videos

Install App

રથયાત્રામાં જોડાનાર દરેકના RTPCR ટેસ્ટ કરાશે, સમગ્ર રૂટ પર વિવિધ સ્પોટ પર ટેસ્ટના ડોમ બનાવાશે

Webdunia
મંગળવાર, 14 જૂન 2022 (12:27 IST)
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં રોજેરોજ ઝડપથી વધારો થઈ રહ્યો છે. તેથી રથયાત્રામાં જોડાનારી ભજનમંડળીઓ પ્રસાદનું વિતરણ કરનારી મોટર, ટ્રકોમાં પ્રવાસ કરનારાઓ તથા અખાડાના અખાડિયન સહિત અને સ્વયંસેવકોના રથયાત્રાના બે-ત્રણ દિવસ પહેલાં આરટીપીસીઆર ટેસ્ટ કરવા અને એ ટેસ્ટમાં જો કોઇ કોરોના પોઝિટિવ હોય તો તે રથયાત્રામાં સામેલ ન થાય તેવી ફરજ પાડવામાં આવશે.

દેખીતી રીતે જ આ ગંભીર વિચારણા સહિતના કેટલાંક અન્ય પગલાં અંગે રાજ્ય સરકારના ગૃહવિભાગ અને આરોગ્યવિભાગ અને રથયાત્રાના આયોજક જગદીશ મંદિરના ટ્રસ્ટીઓ સાથે પરામર્શ કરવામાં આવશે. પરંતુ આખરી નિર્ણય તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી પર છોડવામાં આવશે તેવો એક મત મ્યુનિ. આરોગ્યતંત્રના સૂત્રોએ વ્યક્ત કર્યો હતો.ગુજરાતમાં સતત બીજા દિવસે કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો નોંધાતા લોકોએ રાહત અનુભવી છે. માત્ર 2 દિવસમાં જ રાજ્યના દૈનિક કેસમાં 28 ટકાનો માતબર ઘટાડો થયો છે. સોમવાર સાંજના 5 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં કોરોનાનોના નવા 111 કેસ નોંધાયા છે. આજથી 5 દિવસ પહેલા 8મી જૂનના રોજ દૈનિક કેસનો આંક શતકને પાર થયો ત્યારે પણ 111 જ કેસ નોંધાયા હતા. મહત્વનું છે કે, રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં જ કોરોનાના નવા 776 કેસ નોંધાયા છે, જે ત્રીજી લહેર શાંત થયા બાદ સૌથી વધુ આંક રહ્યો છે. તેથી રથયાત્રામાં આ નિર્ણય લેવાઇ શકે છે.

સંબંધિત સમાચાર

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

આગળનો લેખ
Show comments