Webdunia - Bharat's app for daily news and videos

Install App

Video - રાજકોટમાં રેશ્મા પટેલ અને ઉદય કાનગડ વચ્ચે ફોર્મ ભરવા સમયે ઉગ્ર બોલાચાલી, પોલીસે રેશ્માની ટીંગાટોળી કરી

Webdunia
શુક્રવાર, 5 ફેબ્રુઆરી 2021 (16:06 IST)
રાજકોટમાં આજે જૂની કલેક્ટર કચેરી ખાતે NCP નેતા રેશ્મા પટેલ અને ભાજપ નેતા ઉદય કાનગડ વચ્ચે ફોર્મ ભરવા સમયે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વોર્ડ નંબર 13ના ઉમેદવારોના ફોર્મ ભરાતા હતા તે વખતે રેશ્મા પટેલે મેન્ડેડ માટે બોલાચાલી કરી હતી. જેથી અધિક કલેક્ટરની ચેમ્બરમાંથી રેશ્મા પટેલની ટીંગાટોળી કરી બહાર કાઢવામાં આવ્યા હતા. રેશ્મા પટેલે અધિક કલેક્ટરની કચેરીમાં કહ્યું કે સાહેબ હું તમને રિકવેસ્ટ કરૂ છું કે ભાજપની દરેક જગ્યાએ ગુંડાગર્દી નહીં ચાલે. અમે તમારા માટે માન રાખીએ છીએ અને તમે આવો ભેદભાવ રાખો છો તે અમે નહીં ચલાવી લઈએ.રેશ્મા પટેલને ટીંગાટોળી કરીને કલેક્ટર કચેરીમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા રેશ્મા પટલે કહ્યું આવી રીતે ભાજપના લોકો વાત કરે છે. તે જરાય ચલાવી લેવામાં નહીં આવે. આ લોકો મહિલાઓનું અપમાન કરે છે.


રેશ્મા પટેલે મેન્ટેડની વાતને લઈને બોલાચાલી કરી હતી. રેશ્મા પટેલે કહ્યું તમે શાંતિથી વાત કરો અવાજ નહીં. મહત્વનું છે કે ભાજપ દ્વારા આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવામાં આવ્યા હતાં. દરમિયાન રેશ્મા પટેલ અને ભાજપના ઉદય કાનગડ વચ્ચે જૂની કલેક્ટર કચેરીમાં જ બોલાચાલી થઈ હતી. જેમાં મામલો વધારે ઉગ્ર બનતાં રેશ્મા પટેલને ટીંગાટોળી કરીને કલેક્ટર કચેરીમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા.ઉદય કાનગડે ઉદ્ધાતાયભર્યુ વર્તન કર્યાનો રેશ્મા પટેલનો આક્ષેપ ભાજપના લિસ્ટ મુજબ આજે ભાજપી ઉમેદવારો પણ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે આવી પહોંચ્યા હતા. પણ ફોર્મ ભરતાં સમયે એનસીપીના રેશ્મા પટેલ અને ભાજપના ઉદય કાનગડ વચ્ચે કલેક્ટર કચેરીની અંદર જ બોલાચાલી થઈ ગઈ હતી. જોતજોતામાં ઉદય કાનગડે તુકારાથી વાત કરવાનું શરૂ કરી દીધું હતું. જે બાદ રેશ્માએ કાબૂ ગુમાવી દીધો હતો. રેશ્મા પટેલે આરોપ લગાવ્યો કે ઉદય કાનગડે તેમની સાથે ઉદ્ધાતાયભર્યું વર્તન કર્યુ છે. સાથે જ તેઓએ ભાજપ દ્વારા મહિલાઓનાં અપમાનનો પણ આરોપ લગાવ્યો હતો.રેશ્મા પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અહીં જૂની કલેક્ટર કચેરી ખાતે પ્રાંત અધિકારી તરીકે ગઢવી સાબેહ કરીને છે. તેની સમક્ષ મારે મેન્ડેન્ટને લઇને બે વાત કરવી હતી. પરંતુ ભાજપના ઉમેદવારોના જ ફોર્મ લેવામાં આવી રહ્યાં હતા અને અમારા ઉમેદવારોને બહાર કાઢી મૂક્યા હતા. ભારત દેશના એધિકૃત નાગરિક તરીકે પ્રાંત અધિકારીએ બધા સાથે સરખું કામ કરવું જોઇએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ફોર્મ ભરાવવા દેવામાં આવે છે.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments