Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં આવતીકાલે અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે, 22 કિમી લાંબો રહેશે રૂટ

Webdunia
ગુરુવાર, 30 જૂન 2022 (17:59 IST)
રથયાત્રાનો રૂટ 22 કિમી લાંબો રહેશે. જેને લઇને શહેર પોલીસ એલર્ટ બની બંદોબસ્તમાં તૈનાત રહેશે. રથયાત્રામાં 1307 પોલીસ જવાનો ખડેપગે રહેશે તો 60 બોડી વોર્ન કેમેરા અને ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવાં આવશે. રથયાત્રાનો પ્રારંભ સવારે આઠ વાગ્યે થશે અને સાંજે સાત વાગ્યે નિજ મંદિરે પરત ફરશે.
 
રથયાત્રા કૈલાશધામ ,મોકાજી સર્કલ  થી શરૂ થઇ વૃંદાવન સોસાયટી, નીલ દા ઢાબા ચોક, પુષ્કરધામ, આલાપ એવન્યુ, શિવશકિત કોલોની (જે.કે.ચોક), આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, તુલસી બંગલો, રૈયા ચોકડી, કિશાનપરા,જીલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક, સદર બજાર, હરીહર ચોક, પંચનાથ મહાદેવ, લીમડા ચોક, ત્રિકોણબાગ, સાંગણવા ચોક, ભુપેન્દ્ર રોડ, સ્વામીનારાયણ મંદિર, આશાપુરા મંદિર, કેનાલ રોડ, કેવડાવાડી મેઇન રોડ, સોરઠીયાવાડી સર્કલ, કોઠારીયા રોડ, નિલકંઠ ટોકીઝ, દેવપરા, યાદવનગર, સહકાર મેઇન રોડ, નારાયણનગર, પી.ડી.એમ.કોલેજ, સ્વામીનારાયણ ચોક, આનંદ બંગલા ચોક, ફાયર બ્રિગેડ, ચંદ્રેશનગર મેઇન રોડ, રાજનગર ચોક, નાનામોવા મેઇન રોડ સર્કલ,શાસ્ત્રી નગર, અલય પાર્ક, ગોવીંદ પાર્ક થઇ કૈલાસધામ આશ્રમ નીજ મંદિર ખાતે મહાઆરતી સાથે પુર્ણ થશે. યાત્રાને પ્રસ્થાન પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ વિધિવત પુજન કરી કરાવશે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments