Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાતિવાદને બ્રાહ્મણોએ ટકાવ્યો નથી રાજકારણે ટકાવ્યો છે: કથાકાર રમેશભાઈ ઓઝા

Webdunia
સોમવાર, 9 સપ્ટેમ્બર 2019 (18:08 IST)
રામજી મંદિરે ચાલતી ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની ભાગવત સપ્તાહનો આજે છઠ્ઠો દિવસ છે. ત્યારે તેણે વ્યાસપીઠ પરથી જણાવ્યું હતું કે, જાતિવાદને બ્રાહ્મણોએ ટકાવ્યો નથી રાજકારણે ટકાવ્યો છે અને તે પાપ બીજા લોકોનું છે. અપશબ્દો બ્રાહ્મણોને પડે છે. હકીકત છે કે આજે પણ જાતિવાદને નામે ચૂંટણીઓ લડાઇ છે. સીધા જાતિવાદી ગણિતો મંડાઇ છે. કઇ જાતિના કેટલા વોટ છે આ વિસ્તારમાં તે અનુસાર ઉમેદવારો નક્કી થતા હોય છે. લોકોએ જાતિવાદના નામે વોટ આપે છે. વ્યાસપીઠ તો તમને જાગૃત કરવાની કોશિશ કરે છે કે જાતિવાદ છોડો. વર્ણવાદ નથી વર્ણ વ્યવસ્થા છે. જાતિ અને વર્ણ બંને જુદુ છે. જાતિ જન્મથી હોય છે અને વર્ણ કર્મ અને ગુણથી હોય છે. કૃષ્ણ ગીતામાં કહે છે કે ગુણ અને કર્મ અનુસાર ચાર વર્ણની વ્યવસ્થા છે અને તે કોના દ્વારા કૃષ્ણ કહે છે કે તે મે બનાવી છે મે. વર્ણને લઇને તમે ગાળો આપતા હોને તો સમજી જાજો કે ગાળ તેના સર્જકને પડે છે. તમારે ગીતાને માનવી અને ગીતાના ગાયકને ગાળો દેવી આ બંને વસ્તુ કોન્ટ્રાડીક્શન છે. જાતિ અલગ છે પૂરા દેશમાં લોકો આ બેવકૂફીનો શિકાર બને છે. જાતિ અને વર્ણને મિક્સ કરે છે. રંગને પણ વર્ણ કહેવાય. વર્ણ વ્યવસ્થા આ સનાતન ધર્મની ઓળખ છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments