Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં ખોટો દસ્તાવેજ બનાવી બે ભૂમાફિયાએ 73 લાખમાં કરોડોની કિંમતની સરકારી જમીન બારોબાર વેચી મારી

Webdunia
સોમવાર, 18 જાન્યુઆરી 2021 (15:44 IST)
રાજકોટ જિલ્લામાં લેન્ડ ગ્રેબીંગના કાયદા હેઠળ વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં બે ભૂમાફિયાએ મોટા મવાની સર્વે નં.135/1ની 5 એકર, 9 ગુંઠા જમીનને અડીને આવેલી સરકારી ખરાબાની સર્વે નં.180 જમીનનો મામલતદારના નામે ખોટા સહી સિક્કા બનાવી ખોટો દસ્તાવેજ બનાવ્યો હતો. આ જમીન 73 લાખમાં બારોબાર તંત્રને ગંધ પણ ન આવી અને વેચી નાખી હતી. પરંતુ ખરીદનારને કૌભાંડ અંગે જાણ થતા કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને તાલુકા મામલતદારે તપાસ કરતા સ્ફોટક વિગત બહાર આવી અને તાલુકા પોલીસે લેન્ડ ગ્રેબીંગના કાયદા હેઠળ બંને શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે. રાજકોટ તાલુકા મામલતદાર કે.એમ.કથિરીયાએ તાલુકા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 12 જાન્યુઆરીએ કલેકટર કચેરી ખાતે અરજદાર અશ્વિનભાઈ ધીરૂભાઇ પરસાણાએ એક લેખિત અરજી આપી હતી. જેમાં જણાવાયું હતું કે મોટા મવા સર્વે નં.135/1ની 05 એકર, 9 ગુંઠા જમીનને અડીને આવેલી સરકારી ખરાબાના સર્વે નં.180 પૈકીની જમીન આપવા બાબતે તેની સામે છેતરપિંડી થઇ છે. જે બાબતે તપાસ કરતા અશ્વિનભાઇએ એકાદ વર્ષ પહેલા 17 જાન્યુઆરી 2020ના રોજ સર્વે નં.180 પૈકીની જમીન મેળવવા કેતનભાઇ વોરાનો સંપર્ક કર્યો હતો. કેતને તેની મુલાકાત બહાદુરસિંહ નામના વ્યકિત સાથે કરાવી હતી.કેતન અને બહાદૂરસિંહે અશ્વિનભાઈને છેતરવાનો પ્લાન બનાવ્યો અને આ સરકારી જમીન ખેતીના હેતુ માટે અપાવી દેવાની લાલચ આપી હતી. બાદમાં મહેસુલ વિભાગ, કલેકટરના હુકમો, ગામ નમૂના નંબર, મામલતદાર કચેરીના કાગળો, નેશનલ ઈન્ફરમેટિક સેન્ટરના ખોટા દસ્તાવેજો બનાવી ટૂકડે ટૂકડે અશ્વિનભાઈ પાસેથી રૂ.73,00,000 જેવી રકમ પડાવી લીધી હતી. તપાસ રિપોર્ટ કલેકટરને અપાતા તેમને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા આદેશ કર્યો હતો. અશ્વિનભાઈએ રૂપિયા આપ્યા તેના વીડિયો રેકોર્ડિંગ પણ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સમક્ષ રજુ કર્યા હતા.ફરિયાદના આધારે તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.વી. ધોળાએ આરોપી બહાદુરસિંહ માનસિંહ ચૌહાણ (રહે. અમરનગર શેરી નં.2 મવડી એરીયા ચંદ્રેશનગર મેઇન રોડ), કેતન વોરા (રહે. સંસ્કાર સી ટી મવડી પાળ રોડ, અમૃત ઓટો ગેરેજ) અને તપાસમાં ખુલે તે વ્યક્તિઓ સામે આઈપીસી કલમ 406, 420, 465, 468, 471, 114, તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-2020ની કલમ 4(1), 4(2), અને 5(ગ)મુજબ ગુનો દાખલ કર્યો છે. આ મામલે એસીપી ગેડમએ વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

આગળનો લેખ
Show comments