Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં વરસાદના વધામણાં, આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ
Webdunia
મંગળવાર, 10 જુલાઈ 2018 (11:43 IST)
અમદાવાદમાં લાંબા વિરામ બાદ આજે વહેલી સવારે વરસાદનું આગમન થયુ છે. શહેરના એસ.જી. હાઇવે, સેટેલાઇટ, બોડકદેવ, ચાંદખેડા સહિતના કેટલાંક વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. એસ.જી.હાઈવે, સેટેલાઈટ, વસ્ત્રાપુર, ચાંદખેડા, ચાંદલોડિયા, સાબરમતી, અખબારનગર, વાડજ, સરખેજ ખાતે વરસાદ ખાબક્યો છે.
 
વહેલી સવારે જ વરસાદ પડતા ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. રાજ્યભરમાં આગામી બે દિવસોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ પડયો છે. સુત્રાપાડા અને કોડીનારમાં 8 ઈંચ વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. સુત્રાપાડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ જૂનાગઢમાં વહેલી સવારથી મેઘરાજાનું આગમન થયું છે. જૂનાગઢ વાસીઓને રાહ જોવડાવ્યા બાદ વરસાદ શરૂ થયો છે. ધીમીધારે વરસાદ પડતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે નોંધાયેલ વરસાદી આંકડા આ પ્રમાણે છે મોડાસા – 66 મી.મી, ધનસુરા – 44 મી.મી, માલપુર – 18 મી.મી, બાયડ – 15 મી.મી, મેઘરજ – 15 મી.મી, ભિલોડા – 06 મી.મી વરસાદ પડયો છે. તેમજ સુત્રપાડામાં 8 ઈંચ, કોડીનારમાં 7 ઈંચ, વેરાવળમાં 65 મી.મી, તાલાલામાં 14 મી.મી, ઉનામાં 37 મી.મી, ગીર ગઢડામાં 75 મી.મી વરસાદ પડતા સુત્રાપાડા અને કોડીનાર નદીઓમાં નવા નીરની આવક વધી છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ત્વચાની સારી સંભાળ માટે આ હર્બલ ફેસ મિસ્ટ બનાવો

ડુંગળી અને લસણ વગરની સ્વાદિષ્ટ મખાના કોફ્તા ગ્રેવી તૈયાર કરો, આ રહી વાયરલ રેસીપી.

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments