Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભીલીસ્થાન ટાયગર સેનાના હોદ્દેદારોને પોલીસ દ્વારા નજર કેદ કરવામાં આવ્યા

Webdunia
સોમવાર, 9 ડિસેમ્બર 2019 (16:00 IST)
ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓને મર્જ ન કરવાના મુદ્દે સોમવારે ભીલીસ્થાન ટાયગર સેના દ્વારા વિધાન સભાનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ આપ્યો હતો. વલસાડ રૂરલ પોલીસે વલસાડ જિલ્લા ટાયગર સેનાના પ્રમુખ જુતુ પટેલને નજર કેદ કર્યો હતો. વલસાડ જિલ્લાના ભીલીસ્થાન ટાઇગર સેનાના હોદ્દે દારોને નજરકેદ કરવાની તજવીજ હાથ ધરી હતી. ગુજરાત સરકાર દ્વારા 5350 જેટલી પ્રાથમિક શાળાઓને મર્જ કરીને બંધ કરવાના સરકારના નિર્ણયના વિરોધમાં વિધાનસભાનો ઘેરાવો કરવાનો કાર્યક્રમ સોમવારે આપવામાં આવ્યો હતો. જેના પગલે વલસાડ જિલ્લાના ભીલીસ્થાન ટાયગર સેનાના હોદ્દેદારોને પોલીસ દ્વારા નજર કેદ કરવામાં આવ્યા હતા. ભીલીસ્થાન ટાઇગર સેનાએ સોમવારે સવારે ગાંધીનગર બિરસામુંડા ભવન ખાતે એકત્રિત થઈને સવારે 11 કલાકે વિધાનસભાનો ઘેરાવો કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જે માટે રાજ્યમાં ભીલીસ્થાન ટાયગર સેનાના હોદ્દેદારોને નજરકેદ કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાંથી ભીલીસ્થાન ટાયગર સેનાના 30થી 35 હોદ્દેદારો વિધાનસભાના ઘેરાવો કરવા જવાના હતા. જેમાંથી વલસાડ જિલ્લા પ્રમુખ જીતુ પટેલ સહીત 15 જેટલા ટાયગર સેનાના હોદ્દેદારોને નજર કેદ કરવામાં આવ્યા છે તો વિરોધ આંદોલન વધારે ન વકરે એ માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ભીલિસ્તાન ટાઇગર સેના ના મોટા ભાગ ના આગેવાનો ને વલસાડ જિલ્લા માં અલગ અલગ પોલીસ મથક માં નજર કેદ કરાયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments