Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રદિપસિંહ જાડેજા આવતીકાલે વસ્ત્રાલ ખાતે કરશે મતદાન

Webdunia
શનિવાર, 20 ફેબ્રુઆરી 2021 (23:32 IST)
સમૃદ્ધ લોકશાહીના નિર્માણ માટે મતદાન કરવું તે આવશ્યક છે. જેના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકાની આવતીકાલે યોજાનાર સામાન્ય ચૂંટણીમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા પરિવાર સાથે સવારે ૯ કલાકે મતદાન કરશે.


આવતીકાલે તા. ૨૧-૨-૨૦૨૧ના  રોજ સવારે ૯-૦૦ વાગ્યે પ્રદિપસિંહ જાડેજા માધવ વિદ્યા સંકુલ, માધવ પાર્ક, રતનપુરા, વસ્ત્રાલના મતદાન મથકે રુમ નંબર- ૭માં મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.


શ્રેષ્ઠ લોકતંત્રની સ્થાપના માટે તમામ નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવા ગૃહ મંત્રીએ અનુરોધ કર્યો છે. લોકતાંત્રિક પ્રક્રિયાને સશક્ત બનાવવાનું શ્રેષ્ઠ માધ્યમ મતાધિકાર છે તેમ જણાવી નાગરિકોને પોતાના મનપસંદ ઉમેદવારોને પસંદ કરી રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવા અનુરોધ પણ કર્યો હતો.


લોકશાહીના પાવન પર્વમાં મતદાન કરવું અત્યંત અનિવાર્ય છે ત્યારે યુવાઓ પણ વિશેષ ઉત્સાહ દાખવી પોતાના મતદાનનો વધુને વધુ ઉપયોગ કરે એ જરૂરી છે.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments