Webdunia - Bharat's app for daily news and videos

Install App

પોરબંદરના દરિયામાં કરંટ અને કોરોનાને કારણે રાષ્ટ્રધ્વજ વંદન નહીં થાય

Webdunia
શુક્રવાર, 14 ઑગસ્ટ 2020 (14:19 IST)
પોરબંદરમાં દર વર્ષે 15મી ઓગષ્ટે સમુદ્રમાં થતું ધ્વજવંદન આ વખતે કોરોનાની મહામારી અને દરિયામાં કરંટને લીધે બંધ રાખવામાં આવ્યું છે. પોરબંદરની શ્રીરામ સી સ્વીમિંગ ક્લબ દ્વારા છેલ્લા 20 વર્ષથી સ્વતંત્રતા પર્વ અને ગણતંત્ર પર્વ પર પોરબંદરની ચોપાટીના સમુદ્રની વચ્ચોવચ્ચ ધ્વજવંદન કરવામાં આવે છે. પરંતુ વર્તમાન સમયમાં કોરોના વાયરસની મહામારી ફેલાઇ હોય અને તેનું સંક્રમણ અટકાવવા સરકાર દ્વારા ચોપાટી પર 144ની કલમ લાગુ કરવામાં આવી છે. એકસાથે વધુ લોકો ભેગા ન થાય તેવી માર્ગદર્શિકા આપવામાં આવી છે. જેથી આવાનારી 15મી ઓગષ્ટે સ્વતંત્રતા પર્વ નિમિત્તે પોરબંદરની ચોપાટી પર શ્રીરામ સી સ્વીમિંગ ક્લબ દ્વારા સમુદ્રમાં ધ્વજવંદન કરવામાં આવશે નહીં તેમ સંસ્થાના પ્રમુખે જણાવ્યું છે.હાલ હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે પોરબંદરના દરિયામાં હાલ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. આ બાબતને પણ ધ્યાને રાખીને આ વર્ષે ધ્વજવંદનનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દરિયામાં લોકો ઉતરે ત્યારે મોજાને કારણે એકબીજા વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાતું નથી જેને લઈને રાષ્ટ્રધ્વજ વંદનનો કાર્યક્રમ સંસ્થા દ્વારા બંધ રાખવામાં આવ્યો છે.
 
 

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments