Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે સૌરાષ્ટ્ર માટે મહત્વની બે યોજનાઓનું PM નરેન્દ્ર મોદી કરશે ઇ-લોન્ચીગ

Webdunia
શનિવાર, 24 ઑક્ટોબર 2020 (08:58 IST)
સમગ્ર સૌરાષ્ટ્ર માટે મહત્વની બે યોજનાઓ ખેડૂતોને દિવસે વિજળી આપવા માટે કિસાન સુર્યોદય યોજના અને સૌરાષ્ટ્રના પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે ગિરનાર રોપ-વે પ્રોજેક્ટનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૨૪ ઓક્ટોબરના રોજ ડિઝીટલ માધ્યમથી શુભારંભ કરાવશે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તા.૨૪ ઓક્ટોબરના રોજ સવારે ૯.૫૦ કલાકે પોલીસ ટ્રેનીંગ સેન્ટર, બિલખા રોડ, જૂનાગઢ ખાતે યોજનાર ઇ-લોકાર્પણ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ ભવનાથ ખાતે ૧૧-૩૦ કલાકે રોપ-વે પ્રારંભ કાર્યક્રમમાં ઉપસ્થીત રહી રોપ-વેના માધ્યમથી અંબાજી માતાના દર્શન કરશે. 
 
રોપ-વે બાદ લીયો રીસોર્ટનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે ઉર્જા મંત્રી સૌરભ પટેલ, પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, પ્રવાસન રાજ્ય મંત્રી વાસણભાઇ આહિર, યાત્રાધામ વિકાસ રાજ્યમંત્રી વિભારીબેન દવે, સાંસદ સભ્ય રાજેશભાઇ ચુડાસમાં, ધારાસભ્યો, પદાધિકારીઓ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહેશે.
 
ખેડૂતો માટે વિજ ક્રાંતિ લાવનાર ઐતિહાસિક કિસાન સુર્યોદય યોજના થકી જૂનાગઢ, અમરેલી, રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લાના ૭૫૯૯૧ કૃષિ વિજ જોડાણ ધરાવતા ખેડૂતો દિવસે વિજળી મળશે. ઉપરાંત ઔદ્યોગિક એકમોને દિવસે મળતી વિજળીની જેમ દિવસે વિજ પુરવઠો મળશે. ગીર બોર્ડરના ખેડૂતોને રાની પશુઓના ત્રાસથી પણ મુક્તિ મળશે.
 
રૂા.૧૩૦ કરોડની ગિરનાર રોપ-વે યોજના સમગ્ર સૌરાષ્ટ્રના પ્રવાસન ઉદ્યોગને વેગ આપશે. ૫૫૦૦ પગથીયા ચડીને માતા અંબાજીના દર્શન કરવા જતા યાત્રાળુએ હવે માત્ર આઠ મીનીટમાં રોપ-વે ના માધ્યમથી માતાજીના દર્શન કરી શકશે. રોપ-વે થકી જૂનાગઢ, સાસણ, સતાધાર, તુલશીશ્યામ, સોમનાથ તેમજ દિવ સહિતના પ્રવાસન સ્થળોની ટુરીઝમ સર્કીટ બનશે. જૂનાગઢ ટુરીઝમનું હબ બનશે. આ બન્ને યોજનાના પ્રારંભથી સમગ્ર જૂનાગઢ ગીર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments