Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાલનપુર-ડીસા હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા અંબાજી જતાં પદયાત્રીનું મૃત્યુ નિપજ્યું

Webdunia
ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2023 (16:09 IST)
અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં છેલ્લા 5 દિવસમાં 30,47,032 ભક્તોએ માતાજીના દર્શન કર્યાં છે. પાંચમાં દિવસે 10 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે. હજુ પણ દૂર-દૂરથી પગપાળા સંઘ માં અંબેના દર્શન માટે પહોંચી રહ્યા છે. બોલ માડી અંબે જય જય અંબેના નાદથી રસ્તાઓ ગુંજી રહ્યા છે. આ વચ્ચે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પાલનપુર-ડીસા હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા પદયાત્રીનું મૃત્યુ નિપજ્યું છે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-ડીસા હાઇવે પર ચંડીસર નજીક અજાણ્યા વાહનચાલકે અંબાજી માં અંબાના દર્શને જઈ રહેલા પદયાત્રીને ટક્કર મારી હતી. પદયાત્રીને ટક્કર માર્યા બાદ વાહનચાલક ફરાર થઈ ગયો હતો. તો આ અકસ્માતમાં પદયાત્રીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે પદયાત્રીઓ અને રાહદારીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ચંડીસર મોકલવામાં આવ્યો હતો. તો બીજી બાજુ પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર વાહનચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Dhanteras 2024 = ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

આગળનો લેખ
Show comments