Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શામળાજીમાં આવતીકાલે ભાદરવી પૂનમનો મેળો, આ જાણી લેજો, નહીં તો થશે ધરમધક્કો

shamdaji
, ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2023 (16:02 IST)
યાત્રાધામ શામળાજીમાં ભાદરવી પૂનમના મેળામાં જવાનું વિચારી રહ્યા છો. આ સમાચાર તમારા માટે મહત્વના સામે આવ્યા છે. પવિત્ર યાત્રાધામ શામળાજીમાં ભાદરવા સુદ પૂનમ તા.29-09-2023ને ગુરુવારના દિવસે ઠાકોરજીના દર્શનનો સમયમાં ફેરફાર કરાયો છે. જે મુજબ આવતીકાલે વહેલી સવારે 5 કલાકે મંદિરના દ્વાર ખુલી જશે અને મંદિર રાત્રે 8.30 કલાકે બંધ થશે. આવતીકાલે સવારે વહેલી સવારે 5 કલાકે મંદિરના દ્વાર ખુલ્યા બાદ સવારે 5.45 કલાકે મંગળા આરતી કરવામાં આવશે.

શામળાજી મંદિરે 8.30 કલાકે શણગાર આરતી યોજાશે. જે બાદ બપોરે 12.30 કલાકે મંદિરના દ્વાર બંધ કરવામાં આવશે. જે બાદ મંદિર 2.15 કલાકે દ્વાર ખોલવામાં આવશે. ઠાકોરજીની સાંજે 7 કલાકે સંધ્યા આરતી અને 8.15 કલાકે શયન આરતી યોજાશે. જે બાદ રાત્રે 8.30 કલાકે મંદિરના દ્વાર બંધ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે ભાદરવી પૂનમના મેળાને લઇ મંદિરમાં ઠાકોરજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Dehgam News - દહેગામમાં ગણેશ પંડાલમાં બુટલેગરે ગાડીથી તોડફોડ કરી, લોકો પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો