Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટણ નજીક થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક પરિવારના ત્રણનાં મોત

પાટણ નજીક થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક પરિવારના ત્રણનાં મોત
Webdunia
બુધવાર, 19 જૂન 2019 (15:35 IST)
પાટણના મેમદપુર ગામ નજીક આઈશર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં શિક્ષકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતું. જ્યારે પત્ની અને એક બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. સદનસીબે 12 વર્ષીય પુત્રીનો બચાવ થયો હતો. એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતાં હોસ્પિટલમાં કરૂણાત્મક દ્રશ્યો સર્જાયા હતા. બનાવની વિગત એવી છેકે રાધનપુરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને પાટણમાં રહેતા ગોવિંદભાઈ પ્રજાપતિ પત્ની અને બે દિકરીઓ સાથે કડીથી ઘરે આવી રહ્યાં હતા. તે દરમિયાન પાટણના મેમદપુર ગામ પાસે સામેથી આવતી આઈસર સાથે તેમની કાર અથડાઈ હતી. જેમાં શિક્ષક ગોવિંદભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યુ હતું. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પત્ની નીતાબેન અને આઠ વર્ષીય પુત્રી ઉર્વીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. 12 વર્ષીય યશ્વીની હાલત ગંભીર હોય તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mehandi Vidhi- ગુજરાતી લગ્નમાં મહેંદી વિધિ

Tips To Pick Watermelon - દુકાનદાર તરબૂચને હાથથી મારીને કેમ ચેક કરે છે ? જાણો તરબૂચ લાલ અને મીઠુ નીકળે એ માટે શુ ધ્યાન રાખવુ

DIG, IG, SP અને SSP માં સૌથી શક્તિશાળી કોણ છે? પોલીસ અધિકારીઓની ભૂમિકાઓ અને જવાબદારીઓ જાણો

બટર રાઈસ

આ 5 સ્ટેપમાં ઘરે જ બનાવો યાખની ચિકન પુલાવ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

સોનુ સૂદની પત્ની સોનાલી સૂદને મુંબઈ-નાગપુર હાઈવે પર અકસ્માત, ઈજા થઈ હતી

KL Rahul and Athiya Shetty Baby - આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ઘરે આવી નાનકડી પરી, સુનીલ શેટ્ટી બન્યા નાના

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

આગળનો લેખ
Show comments