Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભણસાલીની પદમાવત ગુજરાતમાં રિલીઝ નહીં થાય - રૂપાણીનું નિવેદન

Webdunia
શનિવાર, 13 જાન્યુઆરી 2018 (09:34 IST)
દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર અને રણવીરસિંહ સ્ટારર ફિલ્મ 'પદ્માવતી' નામ બદલીને 'પદ્માવત' કરી 25 જાન્યુઆરીના રોજ રીલિઝ કરવાની જાહેરાત થઈ ગઈ છે. હાલ સંજય લીલા ભણશાલીની આ ફિલ્મને લઈને દેશભરમાં વિરોધ થયો છે અને 25 જાન્યુઆરી પણ થિયેટરમાં તોડફોડ થાય તેવી પૂરી શક્યતા છે. સેન્સર બોર્ડ પ્રમુખ પ્રસૂન જોષી પાસે આ ફિલ્મમાં 26 કટ્સની માંગણી કરવામાં આવી હતી પરંતુ તેમણે પાંચ સુધારા સાથે આ ફિલ્મને પાસ કરી દીધી છે.12 જાન્યુઆરીના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, 'ગુજરાતમાં ફિલ્મ પદ્માવત રીલિઝ થશે નહીં'. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણી પહેલા ગત વર્ષના નવેમ્બર માસમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ફિલ્મ રીલિઝ પર પ્રતિબંધ મુક્યો હતો. હાલ તેમણે આ પ્રતિબંધ ચાલુ રહેવાની જાહેરાત કરી છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments