Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીનગર જિલ્લાની પ્રાથમિક સ્કૂલોના શિક્ષકોને એક કલાક શ્રમદાન આપવા આદેશ

Webdunia
સોમવાર, 9 જાન્યુઆરી 2023 (14:50 IST)
ગાંધીનગરની તમામ પ્રાથમિક સ્કૂલોના શિક્ષકો માટે આદેશ બહાર પાડવામાં આવ્યો છે. ગાંધીનગર શિક્ષણ અધિકારીએ  ધો. 3 થી 8 ના તમામ શિક્ષકોએ  રોજ એક કલાક શ્રમદાન આપવાનો આદેશ કર્યો છે. આ શ્રમદાન થકી શિક્ષકોએ બાળકોને ભણાવવા એક કલાક વધારે ફાળવવાનો રહેશે. આ આદેશ પ્રમાણે ગાંધીનગર જિલ્લાની 571 સરકારી અને 39 ગ્રાન્ટ ઈન એઈડ સ્કૂલોમાં શ્રમદાન કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધીનગરના ઈન્ચાર્જ શિક્ષણ અધિકારી બી.એન.પ્રજાપતિએ ગાંધીનગર જિલ્લાની પ્રાથમિક સ્કૂલોમાં કોરોના કાળમાં બાળકોના શિક્ષણ પર થયેલી અસરના પગલે એક કલાક શ્રમદાન આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. શિક્ષકોએ ધો.3થી8ના તમામ વિદ્યાર્થીઓને વધુ એક કલાક ભણાવવા માટે શ્રમદાન આપવું પડશે. આ શ્રમદાન થકી પૂર્ણ ના થઈ શકેલો અભ્યાસ પૂર્ણ કરવાનો રહેશે. 2020થી કોરોના કાળમાં શિક્ષણ ઓનલાઈન હોવાથી બાળકોના અભ્યાસ પણ સૌથી મોટી અસર થઈ હતી. જેથી બાળકો વધુ શીખે અને તેમનો અભ્યાસક્રમ ઝડપથી પૂર્ણ થાય તે માટે આ આદેશ કરવામાં આવ્યો છે. શિક્ષકો પોતાનું શ્રમદાન આપે છે કે નહીં તેની તપાસ CRC કોઓર્ડિનેટર દ્વારા કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments