Webdunia - Bharat's app for daily news and videos

Install App

નોટબંધી એસેસમેન્ટ અંતર્ગત સામાન્ય માણસે ટેક્સ ભર્યો પણ રાજકોટના ઉદ્યોગપતિઓ મુંગા રહ્યાં

Webdunia
સોમવાર, 16 ડિસેમ્બર 2019 (11:34 IST)
નોટબંધી લાગુ થતાની સાથે જ વેપારી, ઉદ્યોગપતિ અને બિલ્ડરોની ઊંઘ હરામ થઈ હતી, તો હાલમાં ઈન્કમટેક્સ અધિકારીઓને રાત ઉજાગરા કરવા પડી રહ્યા છે. નોટબંધીના કેસોનું વહેલી તકે નિરાકરણ આવે તેવું કરદાતા અને અધિકારીઓ બધા ઈચ્છી રહ્યા છે. હાલ નોટબંધીના એસેસમેન્ટ ચાલી રહ્યા છે. જેમાં અધિકારી અને કરદાતાના બે ચહેરા સામે આવ્યા છે. કેટલાક કેસોમાં એવું બન્યું છે કે, વેપારી અને ઉદ્યોગપતિઓએ જવાબ આપવાનું ટાળ્યું છે તો કેટલાક કેસોમાં નાના કરદાતાએ સામાન્ય રકમ રૂ.76,500 નો ભરવાપાત્ર ટેક્સ ભરી દીધો છે. કેટલાક કરદાતાઓ જેને ખુલાસો પૂછવામાં આવ્યો હોવા છતાં તેઓ કોઈ જવાબ નહીં આપતા અધિકારીઓએ તેઓને 3 વાર કહ્યું કે, હાજીર હો પણ કોઈ જવાબ નહીં મળતા આખરે આવા કેસોમાં એક તરફી એસેસમેન્ટ થયું છે, જ્યારે કેટલાક અધિકારીઓ એવા પણ છે કે કરદાતાઓ ક્યા રહે છે તેનું એડ્રેસ શોધીને તેના ઘરે રૂબરૂ ગયા અને તેઓને માહિતગાર કર્યા અને અધિકારીઓએ રૂબરૂ સમજાવતા જેને નોટિસ મળી હતી. તેઓને પણ રાહત થઇ હતી. જે કેસમાં એકતરફી એસેસમેન્ટ થયું છે તેવા કેસોમાં હજુ અનેક વર્ષો નીકળી જશે. આ બધા કેસો અપીલમાં જશે અને તે કેસ લાંબા ચાલશે. જ્યાં સુધી કેસોનો નિકાલ નહીં આવે ત્યાં સુધી કેસોનો ભરાવો થશે. કરદાતા અને અધિકારીઓ બન્નેને તકલીફ પડશે.  
 
 

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments