Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 જાન્યુઆરી 2021થી હોલમાર્ક વગરના દાગીના નહીં વેચી શકાય

Webdunia
સોમવાર, 16 ડિસેમ્બર 2019 (11:27 IST)
સોનું ખરીદતા ગ્રાહકોને શુદ્ધ સોનું સોનું મળી રહે તે માટે દેશભરમાં 15 જાન્યુઆરી 2021થી દાગીનાનું હોલમાર્કિંગ ફરજિયાત કરાયું છે. આ માટે જાહેરનામું 15 જાન્યુઆરી 2020ના રોજ બહાર પડાશે. પરંતુ વેપારીઓને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડમાં રજિસ્ટ્રેશન કરાવવા 1 વર્ષનો સમય અપાશે. હોલમાર્કિંગ પ્રોજેક્ટ માટે મુંબઈની આઈટી ટીમ સાથે જોડાણ કરાયું છે. 15 જાન્યુઆરી 2021 પછી કોઈપણ વેપારી હોલમાર્કિંગ વગરના દાગીના વેચી શકશે નહીં. સોનીઓએ હોલમાર્ક માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. સેન્ટરમાં મોકલાતા દાગીનામાં કોઈ ભેળસેળ હશે તો સોફ્ટવેરની મદદથી પકડાશે. સેન્ટર દાગીનાને યુનિક નંબર આપશે.આ ઉપરાંત દાગીના પર બીએસઆઈનો માર્ક પણ હશે અને સોનાના વજનની માહિતી દર્શાવેલી હશે.અમદાવાદ જવેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગર સોનીએ જણાવ્યું હતું કે જે વેપારી પાસે હોલમાર્ક વગરના દાગીના હશે તેના ભાવ મુદત પછી નહીં મળે. જ્યારે જે ગ્રાહકો પાસે હોલમાર્ક વગરના દાગીના છે તેઓએ મુદત પહેલા ખરીદેલા હોય તો તેના પુરાવા આપવાના રહેશે. આ બન્ને કેસમાં વેપારી અને ગ્રાહકોને બજાર ભાવથી 5થી 8 ટકા ઓછા ભાવ મળશે.

સંબંધિત સમાચાર

સવારે ઉઠ્યા પછી કરો આ એક કામ, તમારી આસપાસ પણ નહીં ફટકે દિલની બીમારી, હાર્ટ હંમેશા રહેશે સ્વસ્થ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments