Webdunia - Bharat's app for daily news and videos

Install App

સવર્ણોને 10 ટકા અનામતનો લાભ આ વર્ષથી જ મળશેઃ નીતિન પટેલ

Webdunia
ગુરુવાર, 30 મે 2019 (09:56 IST)
ભારત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને શિક્ષણ તેમજ નોકરીમાં 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી અને સંસદમાં અને રાજયસભામાં કાયદો પસાર કરવામાં આવ્યો હતો. ભારત સરકારના આ કાયદાનો અમલ રાજ્યમાં 23 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યો હતો. ચૂંટણીની આદર્શ આચાર સંહિતા સમાપ્ત થયા બાદ સરકાર દ્વારા આ કાયદાને લાગુ કરવામાં આવ્યો છે. 
આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી કે આગામી સત્રથી રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજના મેડિકલ અને એન્જિનિયરીંગના ઉચ્ચ અભ્યાસમાં 10% EBCનો અમલ થશે.  23-1-2019ના રોજ સરકારે બિન અનામત જ્ઞાતિઓને આર્થિક અનામત આપવાનો કાયદો પસાર કર્યો અને તેને અમલમાં મૂકી દીધો છે અને સરકારી ભરતી ચાલે છે તેમાં 10 ટકા આર્થિક અનામતનો કાયદો અમલમાં મૂકી અને લાભ આપવાની શરૂઆત થઈ ગઈ છે. ”
તેમણે વધુમાં કહ્યું, “ધોરણ 12 અને અન્ય શૈક્ષણિક પરિણામો જાહેર થઈ ગયા છે. મેડિકલ એન્જિનિયરીંગ, આઈ.ટી. એન્જિનિયરીંગમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ થશે, ત્યારે આ પ્રક્રિયા ચાલુ થાય ત્યારે આર્થિક રીતે પછાત બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ભારત સરકાર દ્વારા કેટલાક નોટિફિકેશન્સ જાહેર કરવામાં આવ્યા છે. આ નોટિફીકેશન્સ અંતર્ગત દરેક વિદ્યાર્થીને 10 ટકાનો આર્થિક અનાતમનો ક્વોટાનો લાભ નવી પ્રવેશ પ્રક્રિયામાં મળશે.”
નીતિન પટેલે જણાવ્યું હતું કે ત્રણ દિવસ પહેલાં મુખ્ય મંત્રી અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે મીટિંગ કરવામાં આવી અને ચર્ચા વિચારણા પછી રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ નિર્ણયને કેબિનેટમાં મળતી અનામતમાં ઘટાડો ન થાય તેને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ વ્યવસ્થા અને મિકેનિઝમ ગોઠવ્યું છે તેના દ્વારા 10 ટકા આર્થિક અનામત આપવામાં આવ્યો છે.
નીતિન પટેલે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમરેલીમાં સરકાર દ્વારા મેડિકલ કોલેજને મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી કેન્દ્ર સરકારે આપી છે. અમેરલીમાં મેડિકલ કોલેજને મંજૂરી મળતા રાજ્યમાં મેડિકલના અભ્યાસક્રમની 150 બેઠકોમાં વધારો થશે. હવે રાજ્યમાં મેડિકલની 5264 બેઠકો થશે. નીતિન પટેલે જણાવ્યું હતું કે મોટાભાગની મેડિકલ કોલેજમાં 150 બેઠકોની ક્ષમતા હોય છે. હવે 10 ટકા સવર્ણ અનામત મળતા દરેક મેડિકલ કોલેજમાં આશરે 35 બેઠકોનો વધારો થશે. આમ આર્થિક રીતે નબળા સવર્ણોને અનામત મળવાથી વર્તમાન અનામતની ટકાવારીમાં કોઈ નુકસાન નહીં થાય

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

આગળનો લેખ
Show comments