Webdunia - Bharat's app for daily news and videos

Install App

Night Curfew In 4 Cities - રાજ્યના આ 4 શહેરોમાં નાઈટ કરફ્યુનુ એલાન

Webdunia
મંગળવાર, 16 માર્ચ 2021 (13:25 IST)
ગુજરાત સરકારે કોરોના વાયરસના વધતા જતા કેસોને જોતાં રાજ્યના ચાર મેટ્રો શહેરોમાં 17 થી 31 માર્ચ સુધી નાઇટ કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે. આ ચાર શહેરો જ્યાં આ નાઇટ કર્ફ્યુ લાદવામાં આવશે તેમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શામેલ છે. 
 
સરકારે મંગળવારે કહ્યું છે કે આ ચાર મહાનગરોમાં પ્રી-નાઇટ કર્ફ્યુ સિસ્ટમ 16 માર્ચે રાત્રે  12 થી સવારે 6 વાગ્યા સુધી જાળવવામાં આવશે. તમને જણાવી દઇએ કે પાછલા કેટલાક દિવસોમાં ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે.
 
ઉલ્લેખનીય છે કે સોમવારે રાજ્યમાં કોરોના વાયરસના 890 નવા કેસ નોંધાયા છે. આ નવા કેસો સાથે રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 2,79,097 પર પહોંચી ગઈ છે. તે જ સમયે, રાજ્યભરમાં સોમવારે 594 લોકો કોરોના વાયરસથી સાજા થયા હતા. 

અગાઉ 2 કલાકની આપવામાં આવેલી છુટ પાછી ખેંચીને નવો નિર્ણય લેતા આવતીકાલે તારીખ 17 માર્ચ 2021થી ચાર મહાનગરોમાં કરફ્યૂ (curfew) નો સમય વધારીને 10 થી 6 કરાયો છે. માટે આવતીકાલથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો રહેશે છે. આજે કોર કમિટીની બેઠકમાં કોરોનાની સ્થિતિના આધારે રાત્રિ કર્ફ્યુનો નિર્ણય લેવાયો છે.
 
રાજ્યના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, સોમવારે સુરતમાં રહેતા એક દર્દીનું કોરોના ચેપથી મોત થયું હતું. સોમવારે સુરતમાં 262, અમદાવાદમાં 209, વડોદરામાં 97 અને રાજકોટમાં 95 કેસ નોંધાયા છે. તે જ સમયે, બાકીના કેટલાક જિલ્લાઓમાં કોરોનાના નવા કેસોની સંખ્યા 18 થી 30 ની વચ્ચે છે.
રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં લાદવામાં આવેલા રાત્રિ કર્ફ્યુની મુદત ગઈકાલે પૂરી થઈ ગઈ. આજે કોર કમિટીની બેઠકમાં કોરોનાની સ્થિતિના આધારે રાત્રિ કર્ફ્યુનો નિર્ણય લેવાયો છે. 
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments