Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિજય રૂપાણી સીએમ બન્યાં ત્યારથી મેં મંત્રી પદની આશા છોડી દીધી હતી જાણો કોણે કહ્યું આવું.

Webdunia
શનિવાર, 20 જૂન 2020 (12:09 IST)
રાજકોટમાં ભાજપના ઘારાસભ્ય હાઈકમાન્ડથી નારાજ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું, ત્યાર બાદ રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે પત્રકાર પરિષદ યોજીને સમગ્ર ચર્ચાઓનો ખુલાસો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે હું ભાજપથી નારાજ નથી પરંતુ ખોટી અફવાઓ વહેતી થઈ છે. તેમણે એવું પણ કહ્યું હતું કે વિજય રૂપાણી સીએમ બન્યા બાદ મેં મંત્રીપદની આશા છોડી દીધી હતી અને ગાંધીનગરથી મારા બીસ્ત્રા પોટલા સંકેલી લીધા હતા. જે પણ કંઈ છું તે પાર્ટીના કારણે જ છું.

ગઈકાલે મતદાનમાં અમે ત્રણ ધારાસભ્ય 10 વાગ્યા સુધી વિજય રૂપાણી સાથે જ હતા અને 50 વર્ષમાં અનેક ચડાવ-ઉતાર જોયેલા છે. ગોવિંદ પટેલે દાવો કર્યો હતો કે હું 50 વર્ષથી રાજકારણમાં છું અને જનસંઘ વખતથી ભાજપ સાથે જોડાયેલો છું. જે વાત થઇ રહી છે તે અનઅધિકૃત અને પાયા વિહોણી છે. મહત્વનું છે કે ગોવિંદ પટેલ નારાજ હોવાની વાત આ બીજી વખત વહેતી થઇ છે. આ અગાઉ જિલ્લા કલેક્ટર ઓફિસમાં કામ ન થવાને કારણે પણ ગોવિંદ પટેલ નારાજ હોવાની વાત વહેતી થઇ હતી. ત્યારે હાઇકમાન્ડના દબાણથી ગોવિંદ પટેલે સ્પષ્ટતા કરી કે પછી અન્ય કોઇ કારણ તે સૌથી મોટો સવાલ છે. 

સંબંધિત સમાચાર

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments