Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વેપારીએ કર્યો આપઘાત

Webdunia
શનિવાર, 22 જૂન 2019 (14:30 IST)
સુરેન્દ્રનગરના અણિન્દ્રા ગામે રહેતા એક વેપારીએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને વેપારીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે મૃતકની પત્નીએ 21 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના અણિન્દ્રા ગામે રહેતા એક વેપારી ફેબ્રિકેશનનું કારખાનું ધરાવે છે અને તેણે કેટલાક લોકો પાસેથી ઉછીના પૈસા લીધા હતા. આ પૈસા અને તેનું વ્યાજ ન ચૂકવી શકવાના કારણે વેપારી પર દબાણ વધતું જતું હતું. ત્યારે વેપારી પાસે વ્યાજખોરો દ્વારા અવારનવાર આકરી ઉઘરાણી કરવામાં આવી હોવાથી વેપારીએ કંટાળીને આપઘાત કરી લીધો હતો.
 
વેપારીએ આપઘાત કરી લેતા પરિવારમાં માતમ છવાયો હતો. ત્યારે આ ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસ દ્વારા પરિવારજનોની પૂછપરછ કરવામાં આવતા મૃતકની પત્નીએ 21 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે આ ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

આગળનો લેખ
Show comments