Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં 2 વર્ષમાં 40,940 અકસ્માતોમાં 15,425ના મોત થયાં

Webdunia
શુક્રવાર, 9 માર્ચ 2018 (15:17 IST)
વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓ મુજબ, ગુજરાતમાં વર્ષ 2016 અને 2017માં 40,940 અકસ્માતોના ગુનાઓ નોંધાયા છે. આ અકસ્માતોમાં કુલ 15,425 લોકોના મોત થયા છે. 8 માર્ચના રોજ વિધાનસભામાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ દ્વારા ગુજરાત ટ્રાફિક ઉપદ્રવ નિવારણ અને નિયંત્રણ બાબતનું બિન સરકારી વિધેયક–2018 રજૂ કરવામાં આવ્યું હતું. આ બિન સરકારી વિધેયક પરની ચર્ચામાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુજરાતમાં હાલ 2.30 કરોડ જેટલા વાહનો નોંધાયેલા છે.

તેમાં પ્રતિ વર્ષ 7 થી 8 ટકાનો વધારો થઇ રહ્યો છે. રાજ્યની વસ્તીમાં છેલ્લા દસકામાં 97 લાખનો વધારો થયો છે. રાજ્ય સરકાર દ્વારા માર્ગ અકસ્માતોના કારણોના વિશ્લેષણના આધારે અકસ્માતના સંભવિત વિસ્તારો (બ્લેક સ્પોટ) આઇડેન્ટીફાય કરવામાં આવ્યા હતા. રાજ્યમાં 2014 થી 2016 દરમિયાન કુલ 83 બ્લેક સ્પોટ નક્કી કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ટેકનિકલ એરર દૂર કરી ત્યાં માર્ગ સલામતીના સઘન તકેદારીના પગલા લઇ 63 જેટલા બ્લેક સ્પોટ ઠીક કરવામાં આવ્યા હતા. જેના કારણે આ સ્પોટ ઉપર અકસ્માતોની સંખ્યા 683થી ઘટીને 85 થઇ હતી. આમ અકસ્માતોની સંખ્યામાં 598 જેટલો ઘટાડો જોવા મળ્યો હતો.

ગૃહ રાજ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારે માર્ગ અકસ્માતોની ઘટનાઓ બનતી અટકે તે માટે ટ્રાફિક નિયમન તંત્રને સુસજ્જ બનાવવા વર્ષ 2018-19ના બજેટમાં માર્ગ સુરક્ષા નિધિ માટે રૂ.200 કરોડની જોગવાઇ કરી છે. જેમાં માનદ વેતનથી ફરજો બજાવતા ટ્રાફિક બ્રિગેડનું મહેકમ 7,247 વધારીને 10 હજાર કરવા તથા તેમાં 33 ટકા લેખે મહિલા ટ્રાફિક બ્રિગેડની પણ માનદ વેતનથી સેવા લેવામાં આવશે. ટ્રાફિક બ્રિગેડનું માનદ વેતન રૂ.200થી વધારીને રૂ. 300 કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments