Webdunia - Bharat's app for daily news and videos

Install App

પારસી બિનપારસીને પરણેલી મહિલાઓ માટે નિયમો સુધારાયા

પારસી બિનપારસીને પરણેલી મહિલાઓ માટે નિયમો સુધારાયા
Webdunia
ગુરુવાર, 14 ડિસેમ્બર 2017 (16:02 IST)
સુપ્રીમ કોર્ટના સૂચન બાદ વલસાડની પારસી પંચાયતે એક મહત્વનો નિર્ણય કર્યો છે. પારસી પંચાયતે બિનપારસીને પરણેલી બે પારસી મહિલાઓને અગિયારીમાં પ્રવેશ કરવાની અનુમતિ આપી છે.  પારસી પંચાયતે આ મહિલાઓની તરફેણમાં વધુ એક નિર્ણય લઈ તેમને સ્વજનોના અવસાન વખતે અંતિમ વિધિમાં ટાવર ઓફ સાયલેન્સ (દખમું) માં પણ ઉપસ્થિત રહેવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે પારસી સમાજને વધુ પ્રગતિશીલ બનવા માટે સૂચન કર્યુ છે. ગત બોમ્બે હાઈકોર્ટે એવું ઠરાવ્યું હતું કે લગ્ન પછી પત્નીનો ધર્મ તેના પતિના ધર્મમાં ભળી જાય છે.ગુલરોખ ગુપ્તા નામની પારસી મહિલાનો કેસ તેના વતી તેની બહેન શિરાજ કોન્ટ્રાક્ટર પાટોડીયાએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો હતો. પારસી પંચાયતે અગાઉ આવી બિનપારસીને પરણી હોય તેવી પારસી મહિલાઓને અગિયારીમાં પ્રાર્થના કરવા કે પરિવારજનોની અંતિમવિધિમાં, ખાસ તો દખમુંમા હાજર રહેવાની મંજૂરીનો ઈનકાર કરાયો હોવાથી મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. પારસી સમાજમાં ટાવર ઓફ સાયલેન્સ (દખમું) માં અવસાન પામેલી વ્યક્તિના પાર્થિવ દેહને કૂવામાં લટકાવી દેવામાં આવે છે. પરંપરાઓ મુજબ તો મૃતદેહ ગીધો કે સમડીઓ ખાઈ જાય તેવા હેતુસર તે આ રીતે લટકાવી દેવાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

મુલતાની માટીમાં આ 3 વસ્તુઓ મિક્સ કરો, તમારા ચહેરાની ચમક વધશે.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

આગળનો લેખ
Show comments