Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરકાર ઉદ્ઘાટન કરે તે પહેલા પાટીદારોએ બ્રીજ ખુલ્લો મુકી દીધો, બાદમાં ગણતરીની મિનીટોમાં જ બંધ થઈ ગયો

Webdunia
સોમવાર, 16 ઑક્ટોબર 2017 (13:39 IST)
અમદાવાદમાં ફરીવાર પાટીદારોએ સરકાર અને તંત્રને દોડતું કરી દીધું હતું. થોડા સમય અગાઉ વરસાદના લીધે રોડ તૂટી જવાથી વિકાસ ગાંડો થયો છે જેવા સુત્રોએ બાંગ પોકાર્યો હતો. ત્યારે અમદાવાદ શહેરમાં લોકોને ટ્રાફિકની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને એએમસી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ઓવરબ્રીજના નિર્માણ કાર્ય કર્યા છે.

આવો જ એક બ્રીજ બાપુનગરના વિકાસ ચોક નામે જાણીતા સરદાર પટેલના સ્ટેચ્યુ ઉપર બનાવવામાં આવ્યો હતો. લાંબા સમયથી બ્રીજ તૈયાર થઈ ગયો હોવાછતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો ન હોવાનો દાવો કરીને પાટીદારોએ આજે બાપુનગર ખાતે બનેલા નવનિર્મિત ઓવરબ્રીજને જાતે જ ખુલ્લો મૂકી દીધો હતો અને જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતા. બ્રીજ ખુલ્લો મૂકાયો તેની ગણતરીની મિનિટોમાં જ ઓવરબ્રીજ બંધ કરી દેવાયો હતો. પાટીદારોએ પોતાની રીતે શરૂ કરેલા ઓવરબ્રીજને ગણતરીની મિનિટોમાં જ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો. ઓવરબ્રીજની બંને બાજુએ બેરિકેટ મૂકી દેવામાં આવ્યા હતા. ઓવરબ્રીજનું ઉદઘાટન કરી દેવામાં આવ્યું હોવાના નિશાનીરૂપે વઘેરેલા નાળીયેર પડ્યા હતા. 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments