Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગીરના સિંહોનું વેકેશન પૂર્ણ થયું હવે સાવજ દર્શન થશે.

Webdunia
સોમવાર, 16 ઑક્ટોબર 2017 (12:18 IST)
જૂનાગઢમાં ગીર જંગલના દ્વાર  ૧૬ ઓક્ટોબરથી ખુલી રહ્યા છે અને ગીરના વનરાજોનું ચાર માસનું વેકેશન પૂરું થઈ રહ્યું છે. તા ૧૬ જૂનથી ચોમાસાની ઋતુને કારણે ગીર જંગલ બંધ કરાયું હતું.  પૂર્વ અને પશ્ર્ચિમ એમ બે વિભાગોમાં આ જંગલ ફેલાયેલું છે. જેનો વિસ્તાર ૧૪૧૨ ચોરસ કિ.મી.નો છે અને જૂનાગઢ, અમરેલી તેમ જ ગીર સોમનાથ જિલ્લાને આવરી લે છે.

વનવિભાગ દ્વારા વર્ષ ૨૦૧૫માં સિંહની વસ્તી ગણતરી દરમિયાન ૫૨૩ સિંહ નોંધાયા હતા.દર ૫ વર્ષે સિંહોની વસ્તી ગણતરી રાજ્યના વનવિભાગ દ્વારા કરવામાં આવે છે અને ઉત્તરોત્તર સિંહોની સંખ્યામાં વધારો થતો રહ્યો છે. હવે આગામી ગણતરી વર્ષ,૨૦૨૦માં થશે. જો કે, પ્રતિવર્ષ ચોમાસાના ચાર માસ ગીરનું જંગલ બંધ રહે છે અને ફરીથી ખુલે છે. તે દરમ્યાન ૪૦થી ૫૦ નવા સિહો જન્મે છે. જો કે તે બધા જીવતા રહેતા નથી. દિવાળીની રાજાઓના દિવસોમાં સાસણ ગીર હાઉસફુલ થઈ ગઈ છે. સહેલાણીઓ અહીં સિંહદર્શન કરવા ઉમટી પડશે.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments