Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાહુલ ગાંધીએ ક્યારેય પૂજાની થાળી નથી ઉપાડી હવે મંદિરોમાં જઈ રહ્યા છે: શિવરાજસિંહ

Webdunia
સોમવાર, 16 ઑક્ટોબર 2017 (12:14 IST)
સરદાર પટેલ ન હોત તો ભારત એક ન થયું હોત. જવાહરલાલ નહેરુએ જમ્મુ-કાશ્મીરનો મુદ્દો તેમની પાસે રાખવાને બદલે સરદાર પટેલને આપ્યો હોત તો કોઈ મુદ્દો જ ઊભો ન થાત. તેમ મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે જણાવીને રાહુલ ગાંધી વિશે કહ્યું હતું કે, જેમણે અત્યાર સુધી ક્યારેય પૂજાની થાળી નથી ઉપાડી તેઓ આજે મંદિર જઈ રહ્યા છે. મોટા તિલક કરી રહ્યા છે.

અંકલેશ્ર્વર ખાતે ગુજરાત ગૌરવ યાત્રામાં મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ગુજરાત અને એમપીનો સબંધ વર્ષો જૂનો છે. નર્મદાના નીર ગુજરાત અને એમપીને જોડે છે એમપીના લોકોએ નર્મદાની જીવંત યાત્રાનું આયોજન કર્યું હતું. નર્મદાના કિનારે ૬.૬૩ કરોડ વૃક્ષો વાવ્યા હતા. ગુજરાતમાં કૉંગ્રેસ અને રાહુલ ગાંધીને વિકાસ નથી દેખાતો. વિકાસ આંધળાઓને નથી દેખાતો, કૉંગ્રેસને પણ નથી દેખાતો. દેશમાં કૉંગ્રેસના શાસનમાં અનેક કૌભાંડો થયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી સરકારમાં ગુજરાત શાંતિનો ટાપુ બન્યો છે. મોદી સરકારમાં ચીન ડોકલામથી પાછળ હટ્યું છે. દેશમાં એક જ પરિવારના સભ્યોને ભારતરત્ન મળ્યા છે. સરદાર પટેલને ભારતરત્ન આપવામાં આવ્યો ન હતો. દેશ એક પરિવારનો બંધક બની ગયો હતો. કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, કૉંગ્રેસના આગેવાનો માટે મોતિયો ઊતારવાનો કેમ્પ કરો તો એ લોકોને વિકાસ દેખાશે. એશિયામાં પાણીનું સૌથી મોટું નેટવર્ક ગુજરાતમાં છે. સરદાર સરોવરના દરવાજા મુકવા નરેન્દ્ર મોદીએ ૧૦ વર્ષ સુધી કેન્દ્ર સરકાર સામે લડત આપી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વાવાઝોડા 'દાના'નો કહેર: આગામી 24 કલાક ખતરનાક, રેડ એલર્ટ જારી, તોફાની પવન સાથે ભારે વરસાદ

આઈસ્ક્રીમ મોંઘી થશે, હવે તમારે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે

ઝિમ્બાબ્વેએ ટી20 માં હાંસલ કરી અત્યાર સુધીની સૌથી મોટી જીત, રેકૉર્ડ બનાવ્યો, ફટકાર્યા 344 રન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક

ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું 1419 કરોડનું પેકેજ, 7 લાખ ખેડૂતોને મળશે લાભ

આગળનો લેખ
Show comments