Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં 3જા માળેથી પાણીની ટાંકી ધરાશયી થતાં 2ના મોત

Webdunia
ગુરુવાર, 24 ઑગસ્ટ 2017 (13:05 IST)
અમદાવાદમાં આજે વહેલી સવારે પ્રગતિનગર પાસે એકતા એપાર્ટમેન્ટમાં પાણીની ટાંકી ધરાશાયી થતાં તેમાં ત્રણ જણ દટાયા હતાં જેમાંથી બે લોકોના મોત થયાં છે. જ્યારે બે વ્યક્તિઓને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.આ મામલે મળતી માહિતી પ્રમાણે આજે વહેલી સવારે અમદાવાદના પ્રગતિનગર પાસે આવેલા એકતા એપાર્ટમેન્ટના ત્રીજા માળે રાખેલી પાણીની ટાંકી ધરાશયી થતાં ઘટનાસ્થળે એક મહિલાનું મોત થયું હતું જ્યારે અન્ય એકનું મોત સારવાર દરમિયાન નીપજ્યું હતું.

આ ઘટનામાં ઈજાગ્રસ્ત થતાં બે વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ત્રીજા માળેથી પાણીની ટાંકી તુટતાં નીચેના ફ્લેટ પણ તુટી ગયા હતાં. ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની બે ટીમો પહોંચી હતી.પાણીની ટાંકી ધડાકાભેર ધરાશયી થતાં જોરદાર મોટો અવાજ આવ્યો હતો જેના કારણે આસપાસના રહિશો પણ ત્યાં આવી ગયા હતાં. આ ટાંકી ઘણાં સમયથી લીકેજ હોવાના કારણે ટપકતાં પાણીના કારણે ટાંકીની નીચેની જમીન પોલી બની જતાં આ ઘટના બની હતી.

સંબંધિત સમાચાર

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

આગળનો લેખ
Show comments