Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં 3જા માળેથી પાણીની ટાંકી ધરાશયી થતાં 2ના મોત

અમદાવાદ
Webdunia
ગુરુવાર, 24 ઑગસ્ટ 2017 (13:05 IST)
અમદાવાદમાં આજે વહેલી સવારે પ્રગતિનગર પાસે એકતા એપાર્ટમેન્ટમાં પાણીની ટાંકી ધરાશાયી થતાં તેમાં ત્રણ જણ દટાયા હતાં જેમાંથી બે લોકોના મોત થયાં છે. જ્યારે બે વ્યક્તિઓને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.આ મામલે મળતી માહિતી પ્રમાણે આજે વહેલી સવારે અમદાવાદના પ્રગતિનગર પાસે આવેલા એકતા એપાર્ટમેન્ટના ત્રીજા માળે રાખેલી પાણીની ટાંકી ધરાશયી થતાં ઘટનાસ્થળે એક મહિલાનું મોત થયું હતું જ્યારે અન્ય એકનું મોત સારવાર દરમિયાન નીપજ્યું હતું.

આ ઘટનામાં ઈજાગ્રસ્ત થતાં બે વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ત્રીજા માળેથી પાણીની ટાંકી તુટતાં નીચેના ફ્લેટ પણ તુટી ગયા હતાં. ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની બે ટીમો પહોંચી હતી.પાણીની ટાંકી ધડાકાભેર ધરાશયી થતાં જોરદાર મોટો અવાજ આવ્યો હતો જેના કારણે આસપાસના રહિશો પણ ત્યાં આવી ગયા હતાં. આ ટાંકી ઘણાં સમયથી લીકેજ હોવાના કારણે ટપકતાં પાણીના કારણે ટાંકીની નીચેની જમીન પોલી બની જતાં આ ઘટના બની હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દેશમાં ઝડપથી વધી રહી છે દિલના દર્દીઓની સંખ્યા, તમારા હાર્ટના ધબકારા પરથી જાણો કે તમારું દિલ કેટલું બીમાર છે?

શું તમે સૌથી ઉપરના માળે રહો છો? તો રૂમને વધુ ગરમ થતા બચાવવા અપનાવો આ ઉપાય

Child Story - સખત મહેનત અને ગુણો માટે આદર

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

બેકડ સ્પિનચ પનીર રાઇસ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ગજરાતી જોક્સ - પૂજારી

સલમાન ખાનને ધમકી આપનારો ગુજરાતમાં જોવા મળ્યો, નીકળ્યો માનસિક રોગી

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

આગળનો લેખ
Show comments