Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં છોટુ વસાવાના એક મતે બિહારના રાજકારણમાં ધમાલ મચાવી

Webdunia
શનિવાર, 12 ઑગસ્ટ 2017 (14:42 IST)
ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને પરાસ્ત કરવા માટે અહેમદ પટેલને મળેલો એક મત એ જનતા દળ (યુ)ના ધારાસભ્ય છોટુભાઇ વસાવાનો હતો. આ મતે અહેમદભાઇ પટેલને ફરી એકવાર રાજકીય જીવન દાન આપ્યુ. અહેમદભાઇ પટેલને મત આપવા માટે છોટુ વસાવાએ જનતા દળ (યુ)ની સામે બાથ ભીડીને શરદ યાદવ સાથે વફાદારી નિભાવી હતી. જનતા દળ (યુ)ના આ મત બાદ બિહાર જનતા દળ (યુ)માં રાજકિય ઘમસામ મચી ગઈ છે.

રાજ્યસભાની ચૂંટણીમાં ભારે રસાકસી બાદ કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલ એક મત (બિન કોંગ્રેસી)થી વિજેતા બન્યા હતા. આ મત કોણે આપ્યો તેના અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા હતા. જેમાં કોંગ્રેસના નેતાઓના કહેવા મુજબ આ મત જનતા દળ (યુ)ના ધારાસભ્ય છોટુભાઇ વસાવાએ આપ્યો હતો. કારણે કે, છોટુભાઇ વસાવા અને અહેમદભાઇ વચ્ચે વર્ષોથી વ્યક્તિગત સંબધો છે. આ ઉપરાંત છોટુભાઇ વસાવા શરદ યાદવની ઘણા નજીક અને ખાસ છે. બિહારમાં નિતીશ કુમારે ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર રચી તેનાથી શરદ યાદવ જુથ નારાજ થયુ હતુ. તેના ભાગ રૂપે છોટુભાઇ વસાવાએ નિતીશકુમારે આપેલા વ્હિપનો ભંગ કરીને ભાજપના બદલે કોંગ્રેસના ઉમેદવારને મત આપ્યો હતો. અહેમદ પટેલને હરાવવા માટે ભાજપ અને શંકરસિંહે સાથે મળીને તડજોડની રાજનીતિ કરી હતી. જે છોટુ વસાવાના એક મતે ઉધી કરી નાખી હતી. છોટુ વસાવાના એક મતથી ગુજરાતના રાજકારણમાં ભારે ઉથલ-પાથલ થઇ ગઇ હતી. અને તેના પડઘા બિહારમાં જનતા દળ (યુ)ના બે નેતાઓ નિતીશ કુમાર અને શરદ યાદવ વચ્ચે પણ પડ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story - સખત મહેનત અને ગુણો માટે આદર

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

બેકડ સ્પિનચ પનીર રાઇસ રેસીપી

ડુંગળી વગર આ નવી સ્ટાઈલમાં બનાવો સ્ટફ્ડ કારેલા, તેનો સ્વાદ એટલો સરસ કે બધાને ભાવશે

હિટવેવ આંખોને પહોંચાડી શકે છે મોટું નુકસાન, ઉનાળામાં કેવી રીતે કરશો આઈકેર જાણો?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

આગળનો લેખ
Show comments