Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપ સરકારની ધરમ કરતાં ધાડ પડી જેવી દશા, અછત જાહેર કરવા ખુદ ભાજપના ધારાસભ્યોની માંગ

ભાજપ સરકાર
Webdunia
બુધવાર, 24 ઑક્ટોબર 2018 (12:23 IST)
ઓછા વરસાદને કારણે અત્યારથી જ ગુજરાતમાં દુકાળના ડાકલાં વાગી રહ્યાં છે. નાયબ મુખ્યમંત્રીએ ૫૧ તાલુકાઓમાં અછતગ્રસ્ત જાહેર કર્યા હતાં. અછત જાહેર કર્યા બાદ ખુદ ભાજપના ધારાસભ્યોએ પોતાના મતવિસ્તારમાં અછત જાહેર કરવાની માંગ કરી છે. 
એટલું જ નહીં,ધારાસભ્યો એવુ કહેવા માંડયા છે કે, આ તો કોકને સાચવવા અને આંદોલન થાળે પાડવા અછત જાહેર કરવામાં આવી છે. નવાઇની વાત એછેકે,જયાં કોંગ્રેસી ધારાસભ્યોએ આંદોલન કર્યું તે તમામ વિસ્તારોને અછતગ્રસ્ત વિસ્તારમાં આવરી લેવાયા છે.
સુરેન્દ્રનગર,પાટણ,બનાસકાંઠા,મો
રબી,કચ્છ અને અમદાવાદ જિલ્લામાં કોંગ્રેસી ધારાસભ્યોએ સરકારમાં સતત રજૂઆતો કરી,એટલુ જ નહીં,પણ આંદોલનો કર્યાં,ધરણાં,ઉપવાસ,જળસમાધિ સહિત વિરોધ પ્રદર્શન કર્યા હતાં જેના કારણ મોટાભાગના વિસ્તારોને અછતગ્રસ્ત વિસ્તારો જાહેર કરાયા હતાં.
કોંગ્રેસનુ કહેવુ છે કે, ખેડૂતો,માલધારી,ગામડાની જનતા માટે કરાયેલાં આંદોલન સામે સરકાર ઝૂકી પડી છે. આમ છતાંય કોંગ્રેસી ધારાસભ્યોને આરોપ છેકે, કેટલાંય તાલુકાઓમાં વિકટ પરિસ્થિતી છે તેમ છતાંય સરકારે ભેદભાવ દાખવી અછતગ્રસ્ત વિસ્તારોમાં સમાવેશ કર્યો નથી.
આ તરફ, ભાજપના ધારાસભ્યો જાહેરમાં તો વિરોધ કરી શકે તેમ નથી. પણ પત્રો લખીને રજૂઆત કરવા માંડયા છે. તેમનુ કહેવુ છેકે, આંદોલનો શાંત પાડવા અમુક વિસ્તારોને અછતગ્રસ્ત વિસ્તારોમાં સમાવી લેવાયા છે. અમારા વિસ્તારમાં ય ઓછો વરસાદ પડયો છે.પાણી-ઘાસચારાની સમસ્યા છે.આમ છતાંય સરકાર અછત જાહેર કરતી નથી. 
કોંગ્રેસના મતવિસ્તારોને જ અછતમાં આવરી લેવાયા છે.હવે સરકાર માટે નવી મુસીબત ઉભી થઇ છે કેમકે, બધાય વિસ્તારોને અછતમાં આવરી શકાય તેમ નથી પરિણામે સરકાર માટે ધરમ કરતાં ધાડ પડી હોય તેવી સ્થિતીનું નિર્માણ થયુ છે. આગામી દિવસોમાં અછતગ્રસ્ત જિલ્લો-તાલુકો જાહેર કરવાના મુદ્દે સરકાર સામે લડતના મંડાણ શરુ થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવાઇ રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દહીં અને લસણથી બનાવો સ્વાદિષ્ટ શાક, સ્વાદ એવો કે તમે આંગળીઓ ચાટતા રહી જશો, જલ્દી નોંધી લો રેસીપી

રોજ આ સમયે કરશો ડિનર તો મળશે 7 કમાલના ફાયદા, દૂર થઈ જશે શરીરની અનેક પરેશાનીઓ

રોજની આ 5 ભૂલો Vagina ને નુકસાન પહોંચાડે છે, મહિલાઓએ તેને કરવાનું ટાળવું જોઈએ

જલજીરા શિકંજી

છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

વધુ જુઓ..

નવીનતમ

KL Rahul and Athiya Shetty Baby - આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ઘરે આવી નાનકડી પરી, સુનીલ શેટ્ટી બન્યા નાના

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

આગળનો લેખ
Show comments