Webdunia - Bharat's app for daily news and videos

Install App

હથિયારનો જથ્થો છુપાયેલો હોવાની આશંકા વચ્ચે એનઆઈએ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું

gujarat samachar epaper
Webdunia
શુક્રવાર, 12 ઑક્ટોબર 2018 (14:15 IST)
પોરબંદરથી 7 કિમી દૂર ગોસાબરા પાસે એનઆઈએના અધિકારીઓએ એક ઓપરેશન આદરીને ઊંડુ ખોદકામ કર્યું હતું. એનઆઈએને એવી બાતમી મળી હતી કે, આ વિસ્તારમાં હથિયારનો એક મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે જેમાં AK47 અને AK46, એસોલ્ટ રાઈફલ અને ગ્રેનેડનો સમાવેશ થાય છે. જે એક સ્મલિંગનો માલ છે, એક એવી પણ માહિતી હતી કે, વર્ષ 1993માં અંડરવલ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમે આ વિસ્તારમાં દાણચોરીના હથિયારનો છુપાવ્યો હતો. ગુરુવારે વહેલી સવારે આ વિસ્તારમાં ખોદકામ કરવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસના સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, વર્ષ 1993માં અલ સદાબહાર અને બિસમિલ્લાહ એમ બે બોટથી પાકિસ્તાનના કરાચીથી કેટલાક સંવેદનશીલ હથિયારો અને આરડીએક્સનો જથ્થો દરિયાઈ માર્ગે ભારતમાં લાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય એક બોટને પોરબંદર દરિયાઈપટ્ટીથી અલગ ગોસાબરા પાસે અનલોડ કરવાની હતી. બોટ અલ સદાબહાર રાયગઢ જિલ્લાના શેકાડી દરિયાઈ વિસ્તારમાં અનલોડ થઈ હતી.બિસમિલ્લાહનો ઉપયોગ મુંબઈ સિરિયલ બ્લાસ્ટ વખતે વર્ષ 1993માં આરડીએક્સની દાણચોરી માટે થયો હતો. ગુજરાત પોલીસે જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલા એનઆઈએની ટીમ અમદાવાદ આવી પહોંચી હતી. જેણે પોરબંદર પોલીસ સાથે વાતચીત કરીને આ વિસ્તારમાં ખોદકામ માટે મદદ માગી હતી. પોરબંદર પોલીસે જણાવ્યું હતું કે, એનઆઈએ ટીમ સાથે પોલીસ ટીમનું સંચાલન ડીસીપી વિપુલ ગર્ગે કર્યું હતું. પરંતુ, એનઆઈએના આ ઓપરેશનમાં કંઈ મળ્યું ન હતું અને તે ખાલી હાથે પરત ફરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments