Dharma Sangrah

રાજ્યના 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, નર્મદા ડેમ 138 મીટરની સપાટી પહોંતા છલકાયો

Webdunia
શનિવાર, 14 સપ્ટેમ્બર 2019 (11:44 IST)
રાજ્યમાં પડી રહેલા સાર્વત્રિક વરસદા વચ્ચે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ દાહોદ જિલ્લામાં 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ચોમાસાની સિઝનનો કુલ વરસાદ 120 ટકા થયો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં રોડ પર પાણી ફરી વળ્યા હતા. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે ઉપરવાસમાંથી થઇ રહેલી પાણીની આવકને કારણે સરદાર સરોવર ડેમ છલોછલ ભરાઇ જતા ઓવરફ્લો થઇ શકે છે.
 
રાજ્યમાં ભારે વરસાદ બાદ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર પહોંચી ગયો છે. જેને લઇને હજુ પણ જો પાણીની આવક થશે તો ડેમ ઓવરફ્લો થઇ શકે છે. સૌપ્રથમ વખત રાજ્યમાં સરદાર સરોવર ડેમ છલકાવવાની ઘટના બનશે. સરદાર સરોવરમાં પાણીની ભારે આવક થતા ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઇ છે.
 
નર્મદા નદી બે કાંટે વહેતિ થતા 175 ગામોને એલર્ટ કરાયા છે. વર્ષ 2017માં પીએમ મોદીએ સરદાર સરોવર ડેમનું લોકાર્પણ કર્યું હતું. આગામી 17મી સપ્ટેમ્બરે પોતાના જન્મદિવસ પર વડાપ્રધાન મોદી સરદાર સરોવરની મુલાકાત લેશે. હાલ ડેમના 23 દરવાજા 4 મીટર દૂર ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 7 લાખ 17 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
 
જ્યારે ડેમમાં ઉપરવાસમાંથી 7 લાખ 70 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. છેલ્લા છ દિવસથી કેવડિયાનો ગોરા બ્રીજ પાણીમાં ગરકાવ થયો છે. સરદાર સરોવર પર દરવાજા મૂકાયા બાદ ઇતિહાસમાં પહેલીવાર ડેમ ઓવરફ્લો થશે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 13 સપ્ટેમ્બર સુધી સરદાર સરોવર(Sardar Sarovar)માં હાલમાં 3,19,996.28 MCFT પાણીનો સંગ્રહ થયો છે, જે તેની કુલ જળસંગ્રહ શક્તિના 95.78 ટકા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તમારી કિડની સારી રીતે કામ કરી રહી છે કે નહિ કેવી રીતે જાણશો ?

Moong Dal Kachori - મગની દાળ કચોરી બનાવવાની રીત

Baby Boys Names- તમારા પુત્ર માટે આ નામો તેને દુનિયા જીતવામાં મદદ કરશે

Gluten Free - રોટલીઓ ખાવાથી શુ થાય છે ? જાણો કયા અનાજમાં ગ્લુટેન હોતુ નથી ?

ચહેરા પર Vicks લગાવવાના ચમત્કારી ફાયદા જાણી લો અઠવાડિયામાં અસર દેખાશે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - 20 રૂપિયાની નોટ

Dhurandhar 2 Trailer Released: લોહીથી લથપથ થશે લયારી અને ધમાકાથી કાંપી જશે કરાંચી, ટ્રેલરમાં એક્શનનો ભંડાર

અમિતાભ બચ્ચને અયોધ્યામાં ખરીદી 2.67 એકર જમીન, રામ મંદિરથી 15 મિનિટ દૂર, મહાનાયકે કર્યું મોટું રોકાણ

આજના રમુજી જોક્સ: પત્નીના મૃત્યુ પછી, પતિએ રડતા રડતા કંઈક કહ્યું, તે વાંચીને તમે ખૂબ હસશો.

ગુજરાતી જોક્સ - ફક્ત ૫૦૦ રૂપિયા

આગળનો લેખ
Show comments