Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર જતી 350થી વધુ બસો રદ તો 60 બસોના રૂટ ટૂંકાવાયા

Webdunia
મંગળવાર, 13 જૂન 2023 (16:31 IST)
વાવાઝોડાના પગલે ગુજરાત એસટી નિગમ દ્વારા પણ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જતી બસોને રદ કરવામાં આવી છે, તો કેટલાક રૂટ ટૂંકાવામાં પણ આવ્યા છે. દરિયાઈ વિસ્તારોના ડેપોના તમામ ઓપરેશન્સને હાલ બંધ કરવાનો નિર્ણય ગુજરાત એસટી વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. 16 જૂન સુધી બસોને રદ કરવાનો અને રૂટ ટૂંકાવામાં આવ્યો છે. જેમાં સોમનાથ, મહુવા, દિવ, પોરબંદર, વેરાવળ, માંગરોળ જતી અંદાજિત 300થી 350 બસો રદ કરવામાં આવી છે, જ્યારે 60 જેટલી બસોના રૂટ ટૂંકાવ્યા છે.

આ અંગે ગુજરાત ST નિગમના સચિવ કે. ડી. દેસાઈએ જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાને પગલે ગુજરાત રાજ્ય એસટી નિગમના મેનેજિંગ ડાયરેક્ટર એમ. કે. ગાંધી દ્વારા દરિયાઈ વિસ્તારમાં આવતા તમામ ડિવિઝનના ડેપો મેનેજર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકો કરી અને સુચના આપવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં આવતા જામનગર, અમરેલી, કચ્છ, જૂનાગઢ, રાજકોટ અને ભાવનગર ડિવિઝનમાં બસોના રૂટ ટૂંકાવાની તેમજ બસોની ટ્રીપ રદ કરવામાં આવી છે. મુસાફરોને મેસેજ મારફતે રિઝર્વેશનમાં સૌરાષ્ટ્ર તરફ જતી બસોને રદ કરવાની માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત ક્યાં સ્થળ સુધી બસ જશે, તેની પણ જાણકારી આપવામાં આવી છે.

હાલમાં દ્વારકા, ખંભાળિય, દિવ, ઉના, સાવરકુંડલા, મુન્દ્રા, માંડવી, નલિયા, ગાંધીધામ, વેરાવળ, પોરબંદર, માંગરોળ, મોરબી અને મહુવા તરફ જતી બસોની ટ્રીપ રદ કરવાનો અને રૂટ ટૂંકાવામાં આવ્યો છે. અમદાવાદ ખાતે આવેલા કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી તમામ બસો પર જીપીએસ અને જીઓ ફેન્સ મારફતે ટ્રેકિંગ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ડિઝલનો પૂરતો જથ્થો રાખવા માટે દરેક ડેપોને સૂચના આપવામાં આવી છે. દરિયાઈ વિસ્તારના ડિવિઝનના નજીકના ડેપો સુધી બસ જશે. દ્વારકા, ગાંધીધામ, ભૂજ, નલિયા, અમરેલી સહિતના ડિવિઝનમાં હોર્ડિંગ્સ ઉતારવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વરસાદની સિઝનમાં આ હેલ્ધી સૂપ રેસિપી અજમાવો, તે ખૂબ જ સરળતાથી તૈયાર થાય છે.

વરસાદમાં વધારે ભીના કપડા પહેરવાથી થઈ શકે છે આ નુકશાન આછે બચાવના ઉપાય

હળદર, સૂંઠ અને મેથીના મિશ્રણનો આ રીતે કરશો ઉપયોગ, તો Uric Acid થશે દૂર અને શરદી-ખાંસી થશે છૂમંતર

Monsoon Special- કાંદાના ભજીયાની રેસીપી

ચોમાસામાં મસાલા લોટ અને ચોખાના ડબ્બામાં નહી આવે ભેજ, અપનાવો આ રીત

વધુ જુઓ..

નવીનતમ

કેન્સરની લડાઈમાં હિના ખાને કપાવ્યા પોતાના વાળ, કીમોથેરેપી પહેલા 6 મિનિટનો વીડિયો જોઈને કંપી જશો તમે

જોકસ - મંદિરમાં પુજારી

તો આ કારણે સોનાક્ષી સિન્હાના લગ્નમાં નહોતો આવ્યો લવ સિન્હા, બહેનના સાસરીપક્ષ તરફથી સમસ્યા

સામૂહિક લગ્નમાં નવા યુગલોને આશીર્વાદ આપવા પહોંચ્યો અંબાણી પરિવાર, જોવા મળ્યો રોયલ અંદાજ

વિશ્વ જોક્સ દિવસ - વાયરલ જોક્સ - સંબંધીઓ

આગળનો લેખ
Show comments