Webdunia - Bharat's app for daily news and videos

Install App

આદિપુરુષ ફિલ્મના મેકર્સને મોરારી બાપુએ સલાહ આપી, રામાયણ પરથી નાટક કે ફિલ્મ બનાવવા કોની સલાહ લેવી તે જણાવ્યું

Webdunia
શુક્રવાર, 23 જૂન 2023 (14:07 IST)
રામાયણની કથા પર બનેલી બોલિવૂડ ફિલ્મ આદીપુરૂષ તેના સંવાદોને લઈને વિરોધનો સામનો કરી રહી છે. લોકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. વિરોધ વધતાં ફિલ્મમાં કેટલાક સંવાદો બદલી નાંખવામાં આવ્યાં છે અને હાલ ફિલ્મના લેખક મનોજ મુંતશીર લોકોના નિશાને છે. ત્યારે જાણિતા રામ કથાકાર મોરારી બાપુએ પણ આ ફિલ્મને લઈને પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે.

મોરારી બાપુએ કહ્યું હતું કે, આ વ્યાસપીઠ પરથી વિનય સાથે કહેવા માગું છું કે, રામાયણ પર કોઈ નાટક કે ફિલ્મ બનાવવી હોય અથવા તો કોઈ કથા લખવી હોય તેમાં તમારુ પોતાનું ઈન્ટરપ્રેટેશન નાંખવું હોય તો વાલ્મીકી અને તુલસીદાસજીનો આધાર લઈ શકો છો. જ્યારે રામાયણ સિરિયલ બની હતી ત્યારે કરવામાં આવેલા રિસર્ચની વાત પણ તેમણે વ્યાસપીઠ પરથી કરી હતી. તેમણે આદિપુરુષ ફિલ્મના સંવાદોને લઈને કટાક્ષ કર્યો હતો કે, બને તો મોરારીબાપુને પુછી જુઓ. આ તમને અહંકાર લાગે પણ મેં આ વિષય પર 65 વર્ષ સુધી કામ કર્યું છે. રામાનંદ સાગરે રામાયણ સિરિયલ બનાવી ત્યારે બે વ્યક્તિઓનો મત લીધો હતો. એક તો પંડીતજી રામકિંકર મહારાજ અને બીજા સ્વયં તલગાજરડાના.....!મોરારી બાપુએ કહ્યું હતું કે, હું વિનય સાથે કહેવા માગું છું કે શા માટે આવા વિવાદ ઉભા કરી રહ્યો છો! આ લોકો પાસે કાન હોય તો થોડું સાંભળે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મૉડેલે પોતાની બ્રા ઉતારી અને પ્રાઇવેટ પાર્ટ્સ બતાવ્યા, પછી આવું કંઈક થયું જોઈને લોકો દંગ રહી ગયા

ઇઝરાયલના હુમલા વચ્ચે બે લાખથી વધુ લોકો લેબનોન છોડીને સીરિયા ગયા

નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

પશ્ચિમ બંગાળમાં 10 વર્ષની બાળકીનું અપહરણ પછી મર્ડર, બળાત્કારનો પણ આરોપ

Exit Poll Results 2024 LIVE: હરિયાણામાં કોંગ્રેસને મળી શકે છે બહુમત, જમ્મુ-કાશ્મીરમાં કોઈને સ્પષ્ટ બહુમત નહી

આગળનો લેખ
Show comments