Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોબાઈલ ફોને પોલ ખોલી પત્નિના ચારિત્ર્યની, ડીએનએ ટેસ્ટમાં હોશ ઉડી ગયાં

મોબાઈલ ફોને પોલ ખોલી પત્નિના ચારિત્ર્યની  ડીએનએ ટેસ્ટમાં હોશ ઉડી ગયાં
Webdunia
શુક્રવાર, 25 મે 2018 (15:13 IST)
અમદાવાદના ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારો કેસ નોંધાયો છે. જેમાં એક પતિને પત્નિના ચારિત્ર્ય પર શંકા જતાં તેણે પોતાના દિકરાનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો અને પછી આખે આખી પોલ ખુલી કે તે બાળક પોતાનું નથી. આ વ્યક્તિએ હાલમાં તો પોતાની પત્નિ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પત્નીના ફોનમાં મેસેજ વાંચ્યા બાદ પતિને તેના પર શંકા પડી હતી.

પત્નીના ફોનમાં મેસેજ જોયા બાદ પતિએ તેની સાથે આ અંગે વાત કરતા બંને વચ્ચે ઝઘડા થવાના શરુ થઈ ગયા હતા. આખરે પતિએ મામલાના મૂળ સુધી પહોંચવાનું નક્કી કર્યું હતું, અને પત્નીને બીજા કોઈ પુરુષ સાથે અફેર છે તે સાબિત કરવા માટે તેણે પોતાના 12 વર્ષના દીકરાનો એક ખાનગી લેબોરેટરીમાં ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો.ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળ્યું હતું કે, તેના અને તેના દીકરાના ડીએનએ મેચ નથી થતાં, મતલબ કે દીકરાનો બાપ પોતે નહીં, પણ બીજો કોઈ છે. પત્નીની બેવફાઈનો પુરાવો હાથ લાગતા જ પતિએ તેના આધારે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તેને બાળક અને પત્નીના ભવિષ્યનો વિચાર કરી ફરિયાદ ન કરવા તેને સમજાવ્યો હતો, પરંતુ પતિ એકનો બે ન થયો હતો.ઘાટલોડિયા પોલીસે આ મામલે પતિ અને પત્નીને નિવેદન નોંધાવવા માટે બોલાવ્યા છે, અને ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ત્વચાની સારી સંભાળ માટે આ હર્બલ ફેસ મિસ્ટ બનાવો

ડુંગળી અને લસણ વગરની સ્વાદિષ્ટ મખાના કોફ્તા ગ્રેવી તૈયાર કરો, આ રહી વાયરલ રેસીપી.

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments