Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો કોણ છે મનસુખ માંડવિયા.. જેને ડોક્ટર હર્ષવર્ધનની જગ્યાએ બનાવ્યા સ્વાસ્થ્ય મંત્રી- કંઇક આવો રહ્યો તેમનો રાજકીય પ્રવાસ

Webdunia
ગુરુવાર, 8 જુલાઈ 2021 (19:29 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે કેબિનેટ વિસ્તરણ કર્યું. આ દરમિયાન ગુજરાતથ્યી રાજ્યસભા સાંસદ મનસુખ માંડવિયાએ કેબિનેટ કેંદ્રીય સ્વાસ્થય મંત્રીના રૂપમાં શપથ લીધી. માંડવિયાને ડૉ. હર્ષવર્ધનના સ્થાને  
ભારતના નવા સ્વાસ્થય મંત્રી બનાવ્યા છે. માંડવિયાનો પોર્ટફોલિયો તેથી પણ મહત્વનો છે  કારણ કે દેશમાં કોરોના રોગચાણાના વચ્ચે તેમને સ્વાસ્થય મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. 
 
મનસુખ માંડવિયાએ પહેલા બંદર, જહાજરાની અને જળમાર્ગ રાજ્ય મંત્રી અને ઉર્વરક રાજ્ય મંત્રીના રૂપમાં કાર્ય કર્યુ. તેણે 2016માં કેંદ્રીય મંત્રી પરિષદમાં રાજ્ય મંત્રીના રૂપમાં શામેલ કરાયા હતા. તે 2012મા 
રાજ્યસભા માટે પસંંદગી પામ્યા અને 2018માં ફરીથી ચૂંટાણા. તેઓ  2011માં ગુજરાત કૃષિ ઉદ્યોગ નિગમના અધ્યક્ષ બન્યા હતા જ્યારે મોદી મુખ્યમંત્રી હતા. 
 
2002માં સૌથી ઓછી ઉમ્રના વિધાયક બન્યા હતા માંડવિયા
 
સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના પાલીતાણાના એક નાનકડા ગામડા હનોલમાં એક મધ્યમવર્ગીય ખેડૂત પરિવારમાં જન્મેલા માંડવિયા  2002માં 28 વર્ષની વયમાં સૌથી ઓછી  વયના વિધાયક બન્યા હતા. જાનવરોના પ્રત્યે તેમનો પ્રેમથી તેણે ગુજરાતના પશુ ચિકિત્સા વિજ્ઞાનનો અભ્યાસ કરવા માટે પ્રેરિત કર્યું. પછી તેણે રાજકરણ વિજ્ઞાનમાં પોસ્ટ ગ્રેજુએશન કર્યું. 
 
તેમની પદયાત્રાઓ માટે જાણીતા  છે  માંડવિયા
મનસુખ મંડાવિયા તેમની પદયાત્રાઓ માટે ઓળખાય છે જ્યાં તે ગામડાને જોડનાર અને જાગરૂકતા ફેલાવતા માટે એક સારું કામ માટે પગે લાંબી દૂરી કરે છે. તેણે 2005મ્સાં એક વિધાયકના રૂપમાં તેમની પ્રથમ યાત્રાનો આયોજન કરાયું. જ્યારે તેને છોકરીઓની શિક્ષાની વકાલત કરવા માટે પાલિતાણાના 45 શૈક્ષિક રૂપથી પછાત ગામડાઓથી 123 કિમીની દૂરી નક્કી કરી. તેની બીજી યાત્રા 2007માં  "બેટી બચાઓ બેટી પઢાઓ" અને "વ્યસન હટાવો" થીમ હેઠણ હતી. જેમાં તેણે 127 કિલોમીટરના 52 ગામડાને પાર કર્યુ હતું. 
 
2019માં તેણે મહાત્મા ગાંધીની વિચારધારા અને મૂલ્યોના પ્રચાર માટે એક અઠવાડિયાની પદયાત્રા કાઢી.  યાત્રાના 150 કિ.મી.ના રૂટમાં 150 ગામોને આવરી લેવામાં આવ્યા છે. તેઓ ભારતના વડા પ્રધાન જન ઔષધિ છે. પ્રોજેક્ટ (પીએમબીજેપી) અને મે 2019 માં, યુનિસેફ દ્વારા મહિલાઓના માસિક સ્રાવમાં યોગદાન આપવા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું.
 

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments