Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીધામમાં અપમાનજક પોસ્ટથી રોષે ભરાયેલ લોકોએ કર્યું ચક્કાજામ, પોલીસે ટીયર ગેસનાંનાં સેલ છોડીને ટોળાને વિખેર્યું

Webdunia
મંગળવાર, 1 મે 2018 (22:58 IST)
:ગાંધીધામમાં દેવી દેવતાઓની અપમાનજક પોસ્ટથી લોકોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે લોકો રસ્તામાં ઉતરી આવ્યા છે રોષે ભરાયેલ લોકોએ ટાયરો સળગાવ્યા છે અને ચક્કાજામ કરી દેતા પોલીસ કાફલો દોડી આવ્યો છે   જાણવા મળ્યા મુજબ ગાંધીધામમાં સમાજના આરાધ્ય દેવી-દેવતાઓ અંગે સોશયલ મીડિયામાં અપમાનજનક પોસ્ટ કરી હતી. જેના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવતા તંગદિલી છવાઈ ગઈ હતી. રોષે ભરાયેલા લોકોએ ટાયરો સળગાવી રસ્તા બ્લોક કરી દીધા હતા. ભારે વિરોધનાં કારણે ઓસ્લો સર્કલ પાસે ચક્કાજામ થયું હતું. આ ઉપરાંત રોષમાં હોશ ખોઇ બેઠેલા ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો.
 
ટોળાએ કરેલા પથ્થરમારામાં 10 જેટલા પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. બેકાબુ બનેલા ટોળાને હટાવવા માટે આખરે પોલીસે ટીયરગેસનાં સેલ છોડવા પડ્યા હતા. મહેશ્વરી સમાજે ધાર્મિક લાગણી દુભાયાને કારણે વિરોધ કર્યો હતો. ગાંધીધામનના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને સ્થિતિને થાળે પાડવા પ્રયાસો હાથ ધર્યા હતા. ફેસબૂક પર અભદ્ર ટિપ્પણી કરી અસમાજિક તત્વોએ ધાર્મિક લાગણી દુભાવી હતી. સ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે, પોલીસે ટીયર ગેસનાં સેલ છોડીને ટોળાને વિખેર્યું હતું.
 

સંબંધિત સમાચાર

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments