Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડની 81મી પુણ્યતિથિ

Webdunia
ગુરુવાર, 6 ફેબ્રુઆરી 2020 (14:00 IST)
વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડની આજે 81મી પુણ્યતિથિ છે. અંતિમ દિવસોમાં તેઓ એક ગંભીર રોગનો શિકાર બનતાં વિદેશથી ખાસ ડોક્ટરોને પણ બોલાવાયા હતા. મુંબઈમાં ચાલી રહેલી સારવાર દરમિયાન તેમનું 6 ફેબ્રુઆરી 1939ના દિવસે તેમનું અવસાન થયું હતું. જે બાદ ખાસ ટ્રેન મારફતે તેમનો નશ્વર દેહ વડોદરા ખાતે લાવવામાં આવ્યો હતો. તે સમયે રાજ્યના તોપખાના દ્વારા 75-75 તોપની સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ તેમના ઉત્તરાધિકારી તરીકે પૌત્ર શ્રીમંત મહારાજા પ્રતાપસિંહરાવની 14મા રાજા તરીકે ઘોષણા કરવામાં આવી હતી.
 
પાર્થિવ દેહને પાલખીમાં બિરાજીત કરી સ્મશાનયાત્રા યોજાયી હતી
 
વડોદરાથી ખાસ ટ્રેન મારફતે લવાયેલા મહારાજાના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વિશ્વામિત્રી રેલવે સ્ટેશનથી પેલેસ સુધી વિશાળ જનમેદની ઉમટી પડી હતી. બાદમાં મહારાજાના પાર્થિવદેહને પાલખીમાં બિરાજીત કરી સ્મશાનયાત્રા યોજાયી હતી. સ્મશાનયાત્રાને કિર્તિમંદિર નજીક લશ્કરી ટુકડીએ ગાર્ડ ઓફ ઓનર આપી 21 તોપની સલામી આપી હતી. જ્યારે રાજ્યના તોપખાના તથા બ્રિટિશ સરકાર તરફથી 75-75 તોપની સલામી આપવામાં આવી હતી.
 
14મા રાજાને અપાયી હતી 51 તોપની સલામી
 
79 વર્ષ પહેલાં એટલે કે, તા.7 ફેબ્રુઆરી-1939ના રોજ શ્રીમંત મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડની 14 મા રાજા તરીકે માંડવી ખાતેથી 51 તોપોની સલામી સાથે ઘોષણા થઇ હતી. મહારાજા શ્રીમંત પ્રતાપસિંહરાવ ગાયકવાડને 51 તોપોની સલામી એટલા માટે આપવામાં આવી હતી કે, 21 તોપોની સલામી બ્રિટીશરોની પરંપરા હતી. 21 તોપોની સલામી વડોદરા રાજયની પરંપરા હતી. અને 9 તોપોની સલામી નવકોટ નારાયણને આપવામાં આવતી હતી. એટલા માટે શ્રીમંત પ્રતાપસિંહરાવ ગાયકવાડ 51 તોપોની સલામી આપવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Aman Jaiswal Death: ટીવી અભિનેતાનુ 23 વર્ષની વયે મોત, બલિયામાં થશે અંતિમ સંસ્કાર

Arjun Kapoor ની સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત પડવાથી 6 લોકો થયા ઘાયલ

Breaking સૈફ અલી ખાન પર હુમલાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે

બચ્ચન પરિવારની 3 પેઢી Kutch ની મુલાકાતે,

સૈફ અલી ખાન પર હુમલો કરનારને પકડવા પોલીસે 20 ટીમ બનાવી

વધુ જુઓ..

નવીનતમ

યૂરિક એસિડમાં લાભકારી છે મૂળા, ઉપયોગ પહેલા જ ઓગળવા માંડે છે જોઈંટ્સ પર ચોંટેલા Purine ના પત્થર, જાણો કેવી રીતે કરશો સેવન ?

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

આગળનો લેખ
Show comments