Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રથમ દિવસે ધો-૧૦ અને ૧રમાં 35થી 40 ટકા અને કોલેજમાં ૪૦ થી પ૦ ટકા જેટલા વિદ્યાર્થીઓએ આપી હાજરી

Webdunia
મંગળવાર, 12 જાન્યુઆરી 2021 (10:48 IST)
રાજ્ય સરકારે તારીખ 11 જાન્યુઆરી 2021થી રાજ્યમાં આવેલા તમામ બોર્ડ સાથે જોડાયેલી શાળાઓમાં ધો.10 અને ધો.12ના વર્ગોમાં પૂન: પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવાના નિર્ણયને પ્રથમ દિવસે વ્યાપક પ્રતિસાદ મળ્યો છે.
 
આ સાથે રાજ્યમાં કોલેજ કક્ષાએ પોસ્ટ ગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષના અભ્યાસ વર્ગો પણ શરૂ થયા છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અને રાજ્ય મંત્રી વિભાવરીબહેન દવેએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, દસ માસના લાંબા સમયગાળા બાદ આજથી રાજ્યની તમામ શાળાઓમાં ધો.10 અને ધો.12નું પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થયું છે. આ શિક્ષણ કાર્યમાં પ્રથમ દિવસે જ 35 ટકા થી 40 ટકા જેટલા વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ રીતે વર્ગખંડોમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું છે.
 
મંત્રીઓએ આ વ્યવસ્થા અંગે સંતોષ વ્યકત કર્યો છે અને અધિકારીઓને આ મુજબની વ્યવસ્થા કાયમી ધોરણે ચાલુ રહે તેવી સુચના આપી છે. તેમણે વાલીઓનો આભાર વ્યકત કર્યો અને બાકીના વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા માટે અનુરોધ પણ કર્યો છે. મંત્રીઓએ એવો વિશ્વાસ વ્યકત કર્યો છે કે આવનારા દિવસોમાં આ સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થશે.
 
ઉલ્લેખનીય છે કે, દસ માસના લાંબા સમયગાળા બાદ શરૂ થયેલા પૂન: શૈક્ષણિક કાર્યના પ્રથમ દિવસે રાજ્યના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને અધિકારીઓએ વિવિધ મથકોએ વિદ્યાર્થીઓને શાળામાં આવકાર્યા હતા.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments