Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અમરાવતી નદીમાં માછલીઓના મૃત્યુ સંદર્ભે દંડનીય કાર્યવાહી

Webdunia
ગુરુવાર, 14 નવેમ્બર 2019 (12:24 IST)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે સારંગપુર મોતાલી રોડ નજીક અમરાવતી નદીમાં પ્રદૂષિત પાણી ભળવાના કારણે માછલી મરવાની ફરીયાદના સંદર્ભમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી, અંકલેશ્વર તથા જિલ્લા મત્સ્ય ઉદ્યોગ, ભરૂચ વિભાગ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન આસપાસના વિસ્તાર અને ઘટના સ્થળ પરથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પાણીના નમુના લઈ તથા જિલ્લા મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા ઘટના સ્થળેથી મૃત માછલીઓના નમુના લઈ સઘન તપાસ હાથ ધરી છે.
 
પ્રાથમિક તારણ મુજબ અંકલેશ્વર વસાહતમાં આવેલ ‘‘C’’ પંમ્પીન્ગ સ્ટેશન પાસેનો પાળો તા.૦૭/૧૧/૨૦૧૯ ના રોજ પડેલ વરસાદના કારણે ઉભરાઇ જતા કેમીકલ કન્ટામીનેટેડ વરસાદી પાણી સારંગપુર ખાડી મારફતે અમરાવતી નદીમાં ભળેલ હોવાનું જણાયું છે. જે સંદર્ભે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નોટીફાઇડ એરીયા ઓથોરીટીને તાત્કાલીક પગલા લેવા માટે પ્રાદેશિક કચેરી દ્વારા સુચના આપવામાં આવી છે. આ અગાઉ પણ નોટીફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા આ પ્રકારની નિષ્કાળજી દાખવી હતી જે અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments