Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હાથ ધરાઇ કાર્યવાહી, નર્મદા ક્લીન ટેકને અપાઇ નોટીસ

Webdunia
ગુરુવાર, 14 નવેમ્બર 2019 (12:20 IST)
ભરૂચ જિલ્લામાં અંક્લેશ્વર ખાતે પ્રદૂષિત પાણીને શુદ્ધ કરી તેને દરિયામાં નિકાલ કરવા વહન કરતી પાઇપલાઇન નર્મદા ક્લીન ટેક (NCT) દ્વારા ચલાવવામાં આવે છે. આ પાઇપલાઇનનો ઉપયોગ અંક્લેશ્વર અને ઝગડીયા વિસ્તારમાંથી ઉદભવતા ગંદાપાણીને શુદ્ધિકરણ બાદ દરિયામાં નિકાલ કરવા માટે થાય છે. છેલ્લા ૪ માસથી ઝગડીયાથી કાંટિયાજાલ સુધી જતી પાઇપલાઇનમાં વારંવાર થતા ભંગાણના કારણે ખાડીમાં તથા આસપાસના ખેતરમાં પાઇપલાઇનનું દુષિત પાણી ફેલાવવાની ઘટનાઓ બની છે. આ સંદર્ભે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નર્મદા ક્લિન ટેકને નોટીસ ફટકારવામાં આવી હતી. 
 
તાજેતરમાં તા. ૦૭, ૦૮, ૦૯ નવેમ્બર-૨૦૧૯ના રોજ પાઇપલાઇનમાં પડેલ  ભંગાણના રીપેરીંગ તથા એર રિલિઝ વાલ્વની સફાઇ દરમિયાન દુષિત પાણી ખાડી અને ખેતરમાં જવાના બનાવો બન્યા હતા. જેને કારણે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નર્મદા ક્લિન ટેકને તાત્કાલિક પગલા લઇ દુષિત પાણી પરત લઈ નિયમોનુસાર નિકાલ કરવા ફરીથી નોટીસ આપવામાં આવી છે.

સંબંધિત સમાચાર

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

આગળનો લેખ
Show comments