Webdunia - Bharat's app for daily news and videos

Install App

લાલજી પટેલ હવે સરકાર સામે બાંયો ચડાવશે

Webdunia
ગુરુવાર, 25 ઑક્ટોબર 2018 (11:49 IST)
વિધાનસભા ચુંટણી બાદ સુષુપ્ત અવસ્થામાં રહેલાં સરદાર પટેલ ગૃપને ફરીથી ચેતનવંતુ બનાવવા લાલજી પટેલે રાજ્ય સરકાર સામે વિવિધ આંદોલનો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. એસપીજીનાં અધ્યક્ષ લાલજી પટેલ મહેસાણામાં આજે વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરે તેવી સંભાવના છે. સરદાર પટેલ ગૃપ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં ગઢ રાજકોટમાં ૩૧ ઓક્ટોબરનાં રોજ સરદાર પટેલની જન્મજયંતિ પ્રસંગે કર્મવીર રેલીનું આયોજન કરાયુ છે. કર્મવીર રેલીમાં હજારો પાટીદારોને એકઠાં કરીને રાજ્ય સરકારને પડકાર ફેંકવામાં આવનાર છે. જ્યારે ૧૫ થી ૨૦ નવેમ્બર દરમિયાન સાબરકાંઠામાં ખેડૂત સંમેલનમાં એક લાખ ખેડૂતોને એકઠાં કરવાનું આયોજન કરાયુ છે. આ ઉપરાંત જાન્યુઆરી મહિનામાં સુરત, કલોલ અથવા સૌરાષ્ટ્રનાં શહેરમાં પાંચ લાખ પાટીદારોને એકઠાં કરવાની વિચારણા હાથ ધરાઈ છે. આમ આગામી ત્રણ મહિના દરમિયાન એસપીજી દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરીને મોંઘવારી, ખેડૂતો, પાટીદાર અનામત, અલ્પેશ કથીરીયા જેવા પ્રશ્ને મોટા કાર્યક્રમો કરીને રાજ્ય સરકારને ભીડવવાનો પ્રયાસ કરાનાર હોવાનું લાલજી પટેલે નવગુજરાત સમય સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું. આ તમામ કાર્યક્રમોની આજે મહેસાણામા યોજાનાર પત્રકાર પરિષદમાં જાહેરાત થાય તેવી શક્યતા છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments